શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના હાથમાં માટલા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સુરતના પુણા વિસ્તારની નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રેશરથી પાણી ન આવતું હોવાથી એ વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાની આગેવાની હેઠળ ત્યાંના રહીશો દ્વારા માટલા ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમના ફોટોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rahul Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા 09 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સુરત મહાનગર વોર્ડ નં.૧૬ પુણા(પશ્ચિમ) ના જાહેરાત અને ફિલોસોફી કરી ફક્ત ફોટા પાડવા વાળા કોર્પોરેટરોને જનતા જાણી ગઈ આજે પુણા વિસ્તારમાં જે નારાયણ નગર સોસાયટીમાં કોર્પોરેટર રહે છે તે સોસાયટીની બહેનો દ્વારા છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની સમસ્યા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે નારાયણ નગર સોસાયટીની બહેનો દ્વારા કોર્પોરેટરના ઘર આંગણે ભેગા થઈ સોસાયટીના ગેટ પર માટલા ફોડી રોસ વ્યક્ત કરવામાં આવ્યો. જે પ્રતિનિધિ પોતાની સોસાયટીની સમસ્યાનું સમાધાન ન કરી શકે એ વિસ્તારમાં શું કામ કરવાના…લોક મત  #એક_મોકો_આપને_??. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા.

Image 2.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને TV 9 Gujarati દ્વારા 9 ઓક્ટોમ્બર, 2021 ના રોજ તેના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરતના પુણા વિસ્તારમાં છેલ્લા ગણા સમયથી પાણીની સમસ્યાતી કંટાળીને ત્યાંના રહીશોએ આમ આદમી પાર્ટીના તે વિસ્તારના કોર્પોરેટર પાયલ સાકરિયાની આગેવાનીમાં સોસાયટી ખાતે માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આયું હતું.

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા પણ 8 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

screenshot-www.divyabhaskar.co.in.png

અમારી વધુ તપાસમાં અમને આમ આદમી પાર્ટીના સુરતના પુણા વિસ્તારના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા તેમના ફેસબુક પર પણ 9 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એ વિસ્તારના રહીશો દ્વારા તેમની આગેવાની હેઠળ પાણીના પ્રશ્ને કરવામાં આવેલા માટલા ફોડ કાર્યક્રમનું લાઈવ કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં જો આ પ્રશ્નનું જલ્દી નિરાકરણ નહીં આવે તો મોરચો લઈને ઝોન ઓફિસે જવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

 આમ આદમીના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા તેમની આગેવાની હેઠળ યોજાયેલા માટલા ફોડ કાર્યક્રમ અંગે કેટલીક અન્ય પોસ્ટ પણ ફેસબુક પર મૂકવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2 | Facebook Post 3 | Facebook Post 4

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સુરતના પુણા વિસ્તારની નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રેશરથી પાણી ન આવતું હોવાથી એ વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાની આગેવાની હેઠળ ત્યાંના રહીશો દ્વારા માટલા ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: False