ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે, ઈંધણ ટેન્ક તેના એક ફાઇટર એરક્રાફ્ટની હતી, જે તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી. ફાઈટર જેટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બહારના સ્ટોર્સને હટાવવા પડ્યા હતા.

સંત કબીર નગર જિલ્લાના ખલીલાબાદ વિસ્તારમાં એરફોર્સના એરક્રાફ્ટની ઈંધણની ટાંકી જેવું કંઈક મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આકાશ માંથી જમીન પર આવેલો આ પદાર્થ ચંદ્રયાન-3નો એક ભાગ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

sayaji_nagari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આકાશ માંથી જમીન પર આવેલો આ પદાર્થ ચંદ્રયાન-3નો એક ભાગ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને પ્રભાતખબરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ભારતીય વાયુ સેના અનુસાર, ફાઈટર જેટમાં તકનીકી ખરાબી સર્જાતા, જેના કારણે બહારના સ્ટોર્સ હટાવવામાં આવ્યા હતા. જો કે, પોલીસ દ્વારા સંપૂર્ણ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી.

Prabhatkhabar | Archive

તેમજ આઈએએફના નિવેદન સાથે એએનઆઈ દ્વારા ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી કે, “એક ફાઇટર એરક્રાફ્ટ ગોરખપુરથી પ્રશિક્ષણ મિશન માટે એરબોર્ન હતું. એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે બહારના સ્ટોર્સને જેટીસન કરવાની જરૂર પડી હતી. આ પ્રક્રિયામાં જાન-માલને કોઈ નુકસાન થયું ન હતું.

Archive

તેમજ આ ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિક્ષક સત્યજીત ગુપ્તાએ જણાવ્યું કે, “ખલીલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના બંજરિયા બાલુશાસન ગામમાં એક ખેતરમાં એરફોર્સના એરક્રાફ્ટની ફ્યુઅલ ટાંકી જેવી બે વસ્તુઓ પડી છે. તેમણે કહ્યું કે આ અંગે એરફોર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેની એક ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચશે. તેમણે કહ્યું કે વાયુસેનાએ નક્કી કરવાનું છે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઈંધણ ટેન્કનો છે. જે એક ફાઇટર એરક્રાફ્ટની હતી, જેને તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી દરમિયાન તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બહારના સ્ટોર્સને હટાવવા પડ્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:UPના સંત કબીર નગરમાં ચંદ્રયાન-3નો કોઈ ભાગ પડ્યો નથી... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context