બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી. 

સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દાંતીવાડા ડેમની પાણીની આવકમાં વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vitanf Gdstvnn નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દાંતીવાડા ડેમની પાણીની આવકમાં વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.”

Facebook | Fb post Archive | Facebook

યુટ્યુબ પર આ જ ક્લેમ સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ફેસબુક પર એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.

બનાસકાંઠા સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં માહિતી આપવામાં આવી હતી કે, “દાંતીવાડા ડેમનો એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી! અફવાઓથી સાવધાન. ટેસ્ટીંગ માટે ખોલવામાં આવ્યા છે તે સમાચાર તદ્દન ખોટા સમાચાર છે!

ફેસબુક

તેમજ યુટ્યુબ પર પણ સ્થાનિક ચેનલ દાંતીવાડા સમાચાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે,“દાંતીવાડા ડેમ માંથી ચેકિંગ માટે કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી..તંત્ર.”

તેમજ ટીવીનાઈન ગુજરાતીની રિપોર્ટર રોનક વર્મા દ્વારા તારીખ 18 ઓગસ્ટના સવારે દાંતીવાડા ડેમથી ફેસબુક લાઈવ કર્યુ હતુ અને જણાવ્યુ હતુ અને લાઈવ દ્રશ્યો પણ બતાવ્યા હતા કે, દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા ન હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી જય ઠાકરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદ્દન ખોટી માહિતી છે. દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી, લોકોમાં આ ખોટી અફવા ફેલાઈ રહી છે. લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ.”   

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી. પાણીની આવકમાં વધારો થયો છે. પરંતુ 18 ઓગસ્ટ 2022 સુધી કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False