તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ગેરંટીના નામે પ્લેમ્ફ્લેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી સમાજના લોકો માટે ગેરંટી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ગેરંટીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ખોટો છે. આમ આદમી પાર્ટીના નામે કોઈ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ અંગે કાયેદસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 22 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આપણા ઘરમાં ઘૂસીને કોઈ સેંધ મારવાની કોશિશ કરે તો રાહ નહીં જોવાની દુશ્મન ના ઘરમાં ઘૂસીને ગળું દબાવી દેવાનું આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી સમાજના લોકો માટે ગેરંટી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેનો છે.

આ ફોટોમાં કેજરીવાલ દ્વારા લઘુમતિ સમાજને આપવામાં આવેલી ગેરંટીઓ દર્શાવવામાં આવી છે. જે નીચે મુજબ છે.

1. દરેક મોલવીને મહિને 10,000 રૂપિયાના વેતનની ગેરંટી.

2. દરેક નાની મસ્જિદ – દરગાહ – મઝારને વાર્ષિક 2 લાખ રૂપિયાની મદદની ગેરંટી.

3. દરેક મદરસાને મહિને 25,000 રૂપિયાની સહાયની ગેરંટી.

4. હજયાત્રીઓને હજ માટે 100% સબસિડીની ગેરંટી.

5. લઘુમતી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ વિનામુલ્યે કાયદેસર કરી આપવાની ગેરંટી.

6. લઘુમતી સમાજના ઉત્થાન માટે નાના વ્યાપારીઓને 0% વ્યાજદરે 10 લાખ રૂપિયા સુધીની સરળ લોન આપવાની ગેરંટી.

7. લઘુમતી સમાજના બાળકો માટે ઉચ્ચ શિક્ષા મેળવા 5 લાખ રૂપિયા સુધીની લોન 0% વ્યાજદરે આપવાની ગેરંટી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આમ આદમી પાર્ટીના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર 30 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આમ આદમી પાર્ટીના નામે ફેક પત્રિકાઓ છાપી દુષ્પ્રચાર કરતા ભ્રષ્ટ ભાજપના અસામાજિક ગુનેગાર તત્વો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. સત્યમેવ જયતે.”

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટીને બદનામ કરવા હાર ભાળી ગયેલી ભાજપા સરકાર દ્વારા આ ષડયંત્ર રચી ખોટો અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પત્રિકા અમે છપાવી નથી આ પત્રિકા આમ આદમી પાર્ટીને બદનામ કરવા વાયરલ કરવામાં આવી રહી છે. લોકોને આ પ્રકારની ભ્રામકતાથી દૂર રહેવા વિનંતી છે. આ અંગે ચૂંટણી કમિશનરને તેમજ ગુજરાતના ડીજીપીને ફરિયાદ પણ કરવામાં આવી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ગેરંટીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ખોટો છે. આમ આદમી પાર્ટીના નામે કોઈ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ અંગે કાયેદસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો અરવિંદ કેજરીવાલની ગેરંટીના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પ્લેમ્ફ્લેટના ફોટોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False