
Mayursinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા વન – વગડો નામના ફેસબુક પેજ પર તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાણોદ – મલ્હાર ઘાટ નું નયનરમ્ય દ્રશ્ય. નર્મદા નદી પોતાનાં અસલ સ્વરૂપમાં. નમો નમામી નર્મદે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 444 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચાણોદ-મલ્હાર ઘાટનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાંક કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજનામાં માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો એક વર્ષથી સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. જમાં જણાવવામાં આવ્યુ છે કે, આ વિડિયો મધ્યપ્રદેશના હોશંગાબાદ શહેરના સેઠાણી ઘાટનો વિડિયો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
વિડિયોમાં नमामी देवी नर्मदे લખ્યુ હોવાનું વંચાઈ રહ્યુ છે. તેમજ તેની નીચે પણ નામ લખ્યા હોવાનું જણાઈ રહ્યુ છે. પરંતુ તે વંચાઈ નથી રહ્યુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળઅયુ હતુ કે, આ વિડિયો હોશંગાબાદનો જ છે. બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચાણસદ-મલ્હાર ઘાટનો નથી. પરંતુ મધ્યપ્રદેશના હોંશગાબાદમાં આવેલા સેઠાણી ઘાટનો છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથેનો વિડિયો ચાણોદ- મલ્હાર ઘાટનો છે…..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
