
હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. જ્યોર્તિઆદિત્યા સિંધિયાના ફોટો પર અન્ના હજારે નું મોઢું લગાવી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitesh Chaudhary નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે હૂહલ પર આ અંગે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને આ માહિતીને સબંધિત કોઈ અહેવાલ પ્રાપ્ત થયો ન હતો.
તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ માધ્યમના સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો માર્ચ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો ઓરિજનલ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં અન્ના હજારે નહિં પરંતુ જ્યોર્તિઆદિત્યા સિંધિયા છે. જેઓ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપામાં જોડાયા હતા.

બંને ફોટોમાં જેપી નડ્ડાના મોઢાના રિએક્શન, બુકે તમામ વસ્તુઓ એક સરખી હોવાનું જોઈ શકાય છે. બંને ફોટો વચ્ચેની તુલના તમે નીચે જોઈ શકો છો.

તેમજ જે એકાઉન્ટ(Annahaare) પરથી ટ્વિટ કરવામાં આવ્યુ તે એકાઉન્ટ પણ અસ્તિત્વમાં નથી. જેને ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવ્યુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. જ્યોર્તિઆદિત્યા સિંધિયાના ફોટો પર અન્ના હજારે નું મોઢું લગાવી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…?
Fact Check By: Yogesh KariaResult: Altered
