શું ખરેખર રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયાની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયાની એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના અહેવાલના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેમજ તેની માતાની હાલત ગંભીર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા દ્વારા આ માહિતીનું ખંડન કરવામાં આવ્યું છે. તેણે જણાવ્યું છે કે, તે પોતે અને તેનો પરિવાર સકુશળ છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Khabar Communication Private Limited નામના ફેસબુક પેજ દ્વારા 10 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા અહેવાલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની ગોળી મારીને હત્યા, માતાની હાલત ગંભીર. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના અહેવાલના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેમજ તેની માતાની હાલત ગંભીર છે.

screenshot-www.facebook.com-2021.11.11-13_15_23.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ANI દ્વારા 10 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા દ્વારા વીડિયોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, “તે પોતે અને તેનો પરિવાર સકુશળ છે. સોસિયલ મીડિયા પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે.” 

Archive

અમારી વધુ તપાસમાં અમને ગુજરાત સમાચાર દ્વારા 10 નવેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયાની હત્યાની માહિતીને એક અફવા ગણાવવામાં આવી છે.

screenshot-www.gujaratsamachar.com-2021.11.11-17_19_01.png

Archive

વધુમાં અમને અન્ય કેટલાક મીડિયા હાઉસ દ્વારા પણ આ માહિતી એક અફવા હોવા અંગેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. tv9gujarati.com |  bbc.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા દ્વારા આ માહિતીનું ખંડન કરવામાં આવ્યું છે. તેણે જણાવ્યું છે કે, તે પોતે અને તેનો પરિવાર સકુશળ છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયાની હત્યા કરવામાં આવી…?

Fact Check By: Vikas Vyas 

Result: False