શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને લઈને અયોધ્યા રામ મંદિર અંગેનો વાયરલ દાવો ખોટો છે.? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઘણા સમયથી મિડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ મેસેજ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાની ના પાડી દેવામાં આવી જેનું કારણ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે શિરડી મંદિર એક હિન્દુ સંસ્થા નથી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને અયોધ્યા રામ મંદિર માટે કોઈ ભેટ આપવાની સુચના નથી મળી કે આપવામાં પણ નથી આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chirag Raval નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2021ના राष्ट्रीय संस्कृति નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાની ના પાડી દેવામાં આવી જેનું કારણ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે શિરડી મંદિર એક હિન્દુ સંસ્થા નથી.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે શિરડીના સાંઈ બાબ સંસ્થાના પ્રચાર વિભાગ (પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ)માં એકનાથ ગોળકર નો સંપર્ક ક્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલા સમાચાર તદ્દન ખોટા છે. શિરડી સાંઈ મંદિર સંસ્થા દાન આપવા માટે કોઈ સૂચના આપવામાં નથી આવી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. તેમજ શિરડી સાંઈ સંસ્થા મહારાષ્ટ્રની રાજ્ય સરકાર અંતર્ગત કામ કરી રહી છે. જો કોઈ પણ દાન આપવાનું હોય તો તે રાજ્ય સરકારનો નિર્ણય હોય છે. તેમા શિરડી સાંઈ સંસ્થાની કોઈ ભૂમિકા નથી.

ત્યારબાદ આ મામલાની સંપૂર્ણ પુષ્ટિ કરવા અમે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રમાં બિમલેંદ્ર મોહન પ્રતાપ મિશ્રાનો સંપર્ક કર્યો હતો. તેમણે આ વાતને ખોટી સાબિત કરતા જણાવ્યુ હતુ કે, “રામ મંદિરના નિર્માણ માટે શિરડી સાંઈ મંદિર સંસ્થા પાસે અમે કોઈ ભેટ નથી માંગી હતી. આ મેસેજ તદ્દન ખોટો છે. તેમજ ભ્રામક છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે.  કારણ કે, શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને અયોધ્યા રામ મંદિર માટે કોઈ ભેટ આપવાની સુચના નથી મળી કે આપવામાં પણ નથી આવી.

Avatar

Title:શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને લઈને અયોધ્યા રામ મંદિર અંગેનો વાયરલ દાવો ખોટો છે.?

Fact Check By: Yogesh Karia 

Result: False