ABP અસ્મિતાના ઘણા સ્ક્રિનશોટ આ પહેલા પણ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દેશભરમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ છે. જે ન્યુઝપ્લેટમાં લખવામાં આવ્યુ છે કે, “અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યુ કે, ગુજરાતમાં ભાજપની સરકાર નહીં બને તો મોદીજીના કહ્યા પ્રમાણે કેન્દ્ર ગુજરાતને એક પણ રૂપિયો નહીં આપે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
JO Baka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યુ કે, ગુજરાતમાં ભાજપની સરકાર નહીં બને તો મોદીજીના કહ્યા પ્રમાણે કેન્દ્ર ગુજરાતને એક પણ રૂપિયો નહીં આપે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે આ અંગે સર્ચ કર્યુ હતુ. પરંતુ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાની કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલનો સંપર્ક સાઘ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બનાવટી મેસેજ જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ત્યારે વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ અમે આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. અમારી ન્યુઝ ચેનલની પ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.”
તેમણે અમને વર્ષ 2017માં તેમના દ્વારા આ બનાવટી ન્યુઝ પ્લેટ અંગે કરવામાં આવેલી સ્પષ્ટતાને લગતો અહેવાલ પણ મોકલાવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે વાયરલ સ્ક્રિનશોટને ધ્યાનથી જોયો હતો. જેમા તમે જોઈ શકો છો. હાલનો એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલનો લોગો નથી. આ જૂનો લોગો છે. બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ન્યુઝચેનલનો સ્ક્રિનશોટ એડિટેડ છે. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. એબીપી અસ્મિતા દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: ABP અસ્મિતાનો વધુ એક એડિટેડ સ્ક્રિનશોટ વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
