ભાજપના કાર્યકર્તાના હાથમાં રહેલા બેનરમાં એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં બેનર લઈને ઉભેલા ભાજપના કાર્યકર્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો આભાર” એવું લખેલું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના કાર્યકર્તા હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો આભાર” એવું લખેલું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હાથમાં બેનર લઈને ઉભેલા ભાજપના કાર્યકર્તાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ બેનરમાં વાસ્તવમાં “નર્મદા, તાપી, પાર લીંક યોજના સ્થગીત કરવા બદલ ગુજરાત સરકારનો આભાર” એવું લખેલું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Damor નામના ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખુશી તો એ વાતની છે કે અનંત ભાઈ નો આભાર માને છે 👇👇😁😁😁😁😁🏹🏹. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના કાર્યકર્તા હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો આભાર” એવું લખેલું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો આમ આદમી પાર્ટી તલોદ દ્વારા તેના ફેસબુક પેજ પર 29 માર્ચ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટો સાથે માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ વાળા જ યોજના લાવે અને એજ યોજનાને સ્થગિત કરે તો પણ પાછો આભાર માને.

https://www.facebook.com/permalink.php?story_fbid=174729624887770&id=100070522005298&__tn__=%2CO*F

આજ ફોટો અને માહિતી અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરીને બનાવવામાં આવ્યો છે.

વધુમાં તમને એ જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા તાપી-નર્મદા રિવર લીંક પ્રોજેક્ટ અમલમાં મૂકવા અંગે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સંગઠનો તેમજ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા આ યોજના સ્થગિત કરવા અંગે સરકારમાં રજૂઆત કરતાં સરકાર દ્વારા આ યોજના સ્થગિત કરવાનો નિર્ણય લોવામાં આવ્યો હતો. જે બદલ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  

Archive

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

Copy of Horizontal Image Comparison.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથમાં બેનર લઈને ઉભેલા ભાજપના કાર્યકર્તાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ બેનરમાં વાસ્તવમાં “નર્મદા, તાપી, પાર લીંક યોજના સ્થગીત કરવા બદલ ગુજરાત સરકારનો આભાર” એવું લખેલું છે.

Avatar

Title:ભાજપના કાર્યકર્તાના હાથમાં રહેલા બેનરમાં એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Altered