Election: શું ખરેખર બનાસકાંઠાની બેઠક પર ભાજપે રેખાબેનની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપી.? 

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભાજપા દ્વારા રેખાબેનની ટિકિટ કાપવામાં આવી નથી, ભાજપા દ્વારા પરબત પટેલને ટિકિટ આપી નથી. બનાસકાંઠા વિધાનસભા બેઠક પર ભાજપા દ્વારા રેખાબેન ચૌધરીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે.

ગુજરાતમાં ભાજપાના ઉમેદવારોને લઈ ભારે તણાવ ભર્યો માહોલ છે. ત્યારે હાલમાં એક ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહ્યી છે. જેમાં લખવામાં આવેલુ છે કે, ‘બ.કાં. રેખાબેન ની જગ્યાએ પરબત પટેલ ભાજપા ના ઉમેદવાર’ આ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા દ્વારા બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર બદલીને રેખાબેન ચૌધરીને જગ્યાએ પરબત પટેલનું નામ જાહેર કર્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા દ્વારા બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર બદલીને રેખાબેન ચૌધરીને જગ્યાએ પરબત પટેલનું નામ જાહેર કર્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ભાજપા દ્વારા લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારની યાદીમાં રેખાબેન ચૌધરીને બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

દિવ્યભાસ્કર 

તેમજ અમે વધુ સર્ચ કર્યુ હતુ કે, રેખાબેનની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે કે કેમ, પરંતુ અમને આ અંગે માહિતી આપતો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો ન હતો. આ તદ્દન ખોટો સમાચાર હોવાનું પૃષ્ટી કરતુ હતુ. 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત ફર્સ્ટના પત્રકાર વિજય કુમાર દેસાઈનો સંપર્ક સાધ્યો હતો તેમણે જણાવ્યુ હતુ કે, “આ તદ્દન ખોટી વાત છે, બનાસકાંઠા બેઠક પરથી ડો. રેખાબેન ચૌધરી જ ચૂંટણી લડવાના છે, પરબત પટેલને ટિકિટ આપવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.” 

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ભાજપાના સ્થાનિક પ્રવક્તાનો સંપર્ક સાધ્યો હતો તેણે અમને જણાવ્યુ હતુ કે, “કેન્દ્રિય નેતૃત્વ દ્વારા ડો.રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યુ છે અને રેખાબેનના નેતૃત્વમાં બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડવામાં આવશે. માનનીય પરબતભાઈ પટેલ પણ રેખાબેનના સમર્થનમાં પ્રચાર-પ્રસારમાં જોડાયેલા જ છે.”  

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પરબત પટેલનો પણ સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ભાજપા દ્વારા બનાસકાંઠા બેઠક પરથી ડો.રેખાબને ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અને તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે મારા સહિત ભાજાપાના તમામ કાર્યકરો સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભાજપા દ્વારા રેખાબેનની ટિકિટ કાપવામાં આવી નથી, ભાજપા દ્વારા પરબત પટેલને ટિકિટ આપી નથી. બનાસકાંઠા વિધાનસભા બેઠક પર ભાજપા દ્વારા રેખાબેન ચૌધરીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Election: શું ખરેખર બનાસકાંઠાની બેઠક પર ભાજપે રેખાબેનની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપી.?

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply