સરકાર દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ 30 જૂન 2023 સુધી વધારવામાં આવી છે, 31 માર્ચ 2024 સુધી તારીખ વધારવામાં આવી નથી.

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની નાગરિકોને જણાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હાલમાં પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની સરકાર દ્વારા 31 માર્ચ 2023 અંતિમ તારીખ આપી હતી આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની તારીખ વધારીને 31 માર્ચ 2024 કરવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dinesh Kachchadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની તારીખ વધારીને 31 માર્ચ 2024 કરવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Times of India દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની તારીખ 31 માર્ચ 2023થી વધારીને 31 જૂન 2023 કરવામાં આવી છે.

તેમજ પીઆઈબી દ્વારા વિસ્તૃત માહિતી આપતી પ્રેસ રિલિઝ પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.
PIB1911396પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ 30 માર્ચ 2023 થી વધારીને 30 જૂન 2023 કરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે. વર્ષ 2024 સુધી નથી વધારવામાં આવી…
Fact Check By: Frany KariaResult: Partly FALSE
