
Jigna Dhanak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાસિક” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નાસિકની શાકમાર્કેટનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એક યુટ્યુબ પરનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જ વિડિયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વિદર્ભમાં આવેલુ હતુ કે, ભંડારા સબ્જી માર્કેટ વિદર્ભ મહારાષ્ટ્રનો વિડિયો છે.
તેમજ અમને ABP MAJHA નો 31 ઓગસ્ટ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વૈનગંગા નદીનું પાણી ભંડારાની સબ્જી માર્કેટમાં ભરાયા. સંપૂર્ણ માર્કેટમાં પાણી ભરાયુ. તેમજ સબ્જી લઈને આવેલા ટ્રક પણ પાણીમાં ડુબી ગયા. પાણીમાં સબ્જી તરતી તમે જોઈ શકો છો.”
મહા વોઈસ ન્યુઝ નામની સ્થાનિક ચેનલ દ્વારા સંપૂર્ણ ભંડારા ગામનો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

નાશિક થી ભંડારાનું અંતર 733.9 કિલોમિટિર થાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નાશિકનો નહિં પરંતુ ભંડારાની શાક માર્કેટનો છે. વૈનગંગા નદીનું પાણી છોડતા ભંડારા ગામમાં પાણી ભરાયુ હતુ.

Title:શું ખરેખર નાસિકમાં આવેલી શાકમાર્કેટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
