આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે રાત્રીનું ભોજન લેવા ગયા હતા.
આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રિક્ષા ચાલકનું ઘર જોવા મળે છે અને દિવાલ પર અન્ય ફોટો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા હતા તેના ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો લાગ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પ્રહાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા હતા તેના ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો લાગ્યો હતો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આમ આદમી પાર્ટીના ગુજરાત પેજ પર આ જ ઘરનો અન્ય ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો નહિં પરંતુ અન્ય પરિવારના સભ્યનો ફોટો હોવાનું જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ઓરિજનલ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં ઘરના કોઈ સભ્યનો જ ફોટો છે. નરેન્દ્ર મોદીનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રિક્ષા ચાલકના ઘરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો નથી લગાડવામાં આવ્યો. આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં ઘરના સભ્યનો ફોટો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
