વર્ષ 2019થી આ એડિટેડ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.

હાલમાં એક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પ્લેટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના નામે વાયરલ થઈ રહ્યુ છે. જને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યુ કે જો અમારી સરકાર પડી તો સમગ્ર દેશમાં આગ લગાડી દેવામાં આવશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યુ કે જો અમારી સરકાર પડી તો સમગ્ર દેશમાં આગ લગાડી દેવામાં આવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું ક્યાંય પણ અમને જાણવા મળ્યુ ન હતુ.
તેમજ આ ફોટોને ધ્યાનથી જોતા તેમાં ગુજરાતી ન્યુઝ ચેનલ મંતવ્ય ન્યુઝ નો લોગો જોવા મળ્યો હતો.

તેથી અમે મંતવ્ય ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ શોધી હતી. જે તમે નીચે જોઈ શકો છો. જે ન્યુઝ પ્લેટ અને વાયરલ ન્યુઝ પ્લેટ એક ન હોવાનું સાબિત થાય છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે મંતવ્ય ન્યુઝના ચેનલ હેડનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમારી ચેનલ દ્વારા આ પ્રકારે કોઈ જ માહિતી પ્રસારિત કરવામાં આવી નથી. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરવામાં આવ્યું છે. અમારી ચેનલનો ખોટી માહિતી માટે દૂરુપયોગ અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે વ્યક્તિ દ્વારા આ પ્રકારે ખોટી માહિતી મૂકવામાં આવી છે તેના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવા વિચારી રહ્યા છીએ.”
આ જ ફોટો વર્ષ 2019ની લોકસભીની ચૂંટણી સમયે પણ વાયરલ થયો હતો. તે સમયે પણ અમે આ પોસ્ટને ખોટી સાબિત કરી હતી. જે તમે આ લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મંતવ્ય ન્યૂઝ દ્વારા ક્યારેય આ પ્રકારના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી. તેમજ યોગી આદિત્યનાથ દ્વારા પણ આ નિવેદન ક્યારેય આપવામાં આવ્યુ નથી. આ પોસ્ટ લોકોને ગેરમાર્ગે દોરવા માટે શેર કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:યોગી આદિત્યનાથના નામે ફરી ખોટું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
