
Hemalata Shetty Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શાહીન બાગ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેનના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ માહિતીને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને 13 ફેબ્રુઆરી, 2016 ના રોજ deccanchronicle.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેન મોદીના આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન મોદી આઝાદ મેદાનમાં ચોસામાની ઋતુ દરમિયાન ઝૂંપડપટ્ટી વિસ્તારને હટાવવામાં આવતાં ભૂખ હડતાળ પર બેઠા ત્યારનો આ ફોટો છે. (ફોટો – ડીસી)”
આ સમાચારના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “નરેન્દ્ર મોદીની પત્નીએ અનાથ ઝૂંપડપટ્ટીવાસીઓ માટે ઉપવાસ કર્યા.” આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને mid-day.com દ્વારા 15 ફેબ્રુઆરી, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ઝૂંપડપટ્ટીવાસીઓ માટે મુંબઈના આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા જશોદાબેન મોદી એવી માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. theweek.in | thehindu.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો જશોદાબેનનો ફોટો વર્ષ 2016 નો છે. જેને શાહીન બાગમાં થતા CAA ના વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો જશોદાબેનનો ફોટો વર્ષ 2016 નો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેને શાહીન બાગમાં થતા CAA ના વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જશોદાબેન મોદી CAA નો વિરોધ કરવા શાહીન બાગ પહોંચ્યા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
