ભારતીય સેના દ્વારા નાગરિકોને કથિત રીતે માર મારવાના દાવા સાથેનો વાયરલ વીડિયો જૂનો છે. આ વીડિયો વર્ષ 2022નો છે અને તેનો પહલગામ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી.

પહલગામ આતંકવાદી હુમલા પછી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે સૈનિકો એક પિકઅપ કેરિયરના ડ્રાઇવરને બહાર કાઢતા જોવા મળે છે. બીજો એક નાગરિક દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. જોકે, ત્રીજો સૈનિક દોડતો આવે છે અને એક નાગરિકના માથા પર લાકડી વડે મારતો જોવા મળે છે. આ વીડિયોને એ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, “પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સૈનિકોએ રસ્તા પર દલીલ કરી રહેલા નાગરિકોને માર માર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સૈનિકોએ રસ્તા પર દલીલ કરી રહેલા નાગરિકોને માર માર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોના સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ કાશ્મીર પ્રેસની વેબસાઇટ પર વાયરલ વીડિયોના સમાચાર મળ્યા. આ સમાચાર 22 ઓગસ્ટ 2022ના રોજ પ્રકાશિત થયા હતા. તે સ્પષ્ટ છે કે, આ વીડિયો તાજેતરનો નથી. સમાચાર મુજબ, આ ઘટના શ્રીનગરના નૌગામ ચોકની છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો, ત્યારે શ્રીનગર પોલીસે પ્રતિક્રિયા આપતા કહ્યું, “યુનિફોર્મ પહેરેલા કેટલાક સૈન્ય જવાનોએ કથિત રીતે એક નાગરિકને માર માર્યો હતો, જ્યારે બાદમાં ત્યાં હાજર અન્ય સૈન્ય જવાનો પણ લડાઈમાં જોડાયા હતા. આ મામલે FIR નોંધવામાં આવી હતી.
એબીપીલાઈવમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે કેસ નોંધ્યો હતો. એક આર્મી ઓફિસરે ટ્વિટમાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં આઈએ અને નાગરિકો વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે. ચિનાર કોર્પ્સ આ વીડિયોની સત્યતાની તપાસ કરી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ તે એક જૂનો વીડિયો લાગે છે, જે સશસ્ત્ર દળોની છબી ખરાબ કરવા માટે જાણી જોઈને પોસ્ટ કરવામાં આવ્યો છે.”
પ્રાપ્ત માહિતીની મદદથી, અમે વધુ તપાસ કરી અને વાયરલ વીડિયોના સમાચાર અહીં, અહીં અને અહીં મળ્યા. અહેવાલો અનુસાર, પોલીસે આ ઘટનાની નોંધ લીધી અને નૌગામ પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે પ્રતિબંધ મૂકવાની સજા હેઠળ કેસ નોંધ્યો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતીય સેના દ્વારા નાગરિકોને કથિત રીતે માર મારવાના દાવા સાથેનો વાયરલ વીડિયો જૂનો છે. આ વીડિયો વર્ષ 2022નો છે અને તેનો પહલગામ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભારતીય સેનાના સૈનિકોનો જૂનો વીડિયો પહલગામ આતંકવાદી હુમલા સાથે જોડીને વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
