
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લાશને ચુંબન કરી રહેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા સૈયદ આદિલ હુસૈન શાહના દીકરાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લાશને ચુંબન કરી રહેલા બાળકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં પહેલાગામ ખાતે થયેલા આતંકી હુમલાન પહેલાંનો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને પહેલગામ આતંકી હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 એપ્રિલ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ તસવીર તમને અંદરથી હચમચાવી દેશે, આ શહીદ અને હિંમતવાન પહેલગામના સૈયદ આદિલ હુસૈન શાહનું છે… ફોટામાં તેમનો પોતાનો પુત્ર પોતાના શહીદ પિતાના કપાળ પર ચુંબન કરી રહ્યો છે… સૈયદ આદિલ હુસૈન શાહ જેમણે પોતાના હિન્દુ પ્રવાસીઓના જીવ બચાવવા માટે આતંકવાદી સામે નિઃશસ્ત્ર લડાઈ કરી અને તેમની બંદૂક છીનવી લીધી, અને એકલા લડતા લડતા પોતાનો જીવ બલિદાન આપ્યો…
ગોદી મીડિયા અને it સેલે આતંકવાદી હુમલામાં સૈયદ આદિલ શાહને કોલેટરલ ડેમેજ ગણાવ્યો, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ હતી, આ ભારતીય મુસ્લિમ છે જેણે ધર્મ કરતાં માનવતાને આગળ રાખી. દેશ ને સૈયદ આદિલ શાહ હુસૈન જેવા ભારતીય મુસ્લિમો પર ગર્વ છે… 🤔
આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા સૈયદ આદિલ હુસૈન શાહના દીકરાનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેની પોસ્ટ એક ફેસબુક યુઝર દ્વારા 12 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યારે પહેલગામમાં આતંકી હુમલો 22 એપ્રિલ, 2025ના રોજ થયો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ ફોટો પહેલગામ આતંકી હુમલા પહેલાંનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વાયરલ ફોટો વધુ એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલના રોજ પણ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી આગળ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો એક ટ્વિટર યુઝર દ્વારા 12 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાનું જામવા મળ્યું હતું. આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો ગાઝાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લાશને ચુંબન કરી રહેલા બાળકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં પહેલાગામ ખાતે થયેલા આતંકી હુમલાન પહેલાંનો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને પહેલગામ આતંકી હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો પહેલગામ હુમલાના આતંકવાદીના દીકરાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
