શું ખરેખર નીતિન ગડકરી દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં ના આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા પછી તેઓ તેમની સામાન્ય મુદ્રામાં પાછા ફર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ મંત્રી તરીકે તેમની સાથે જોડાયેલા અન્ય વરિષ્ઠ નેતાઓને સૌજન્ય શુભેચ્છા આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વરિષ્ઠ નેતાઓને શુભેચ્છા પાઠવી રહ્યા હતા ત્યારે નીતિન ગડકરીએ તેમના અભિવાદનનો જવાબ આપ્યો ન હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વરિષ્ઠ નેતાઓને શુભેચ્છા પાઠવી રહ્યા હતા ત્યારે નીતિન ગડકરીએ તેમના અભિવાદનનો જવાબ આપ્યો ન હતો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ વાયરલ તસવીરની રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર અમને આ તસવીર ઘણા રિપોર્ટમાં પ્રાપ્ત થઈ હતી રહી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ તસવીર 9 જાન્યુઆરી, રવિવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહની છે, જેમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત અન્ય મંત્રીઓ સાથે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

આ પછી અમે શપથ ગ્રહણ સમારોહનો વીડિયો સર્ચ કર્યો અને આ કાર્યક્રમનો વીડિયો ‘ભારતના રાષ્ટ્રપતિ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો જોવા મળ્યો. 

લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા શપથ ગ્રહણ સમારોહના વીડિયોમાં, નીતિન ગડકરીને 34.40 થી 35.02 ફ્રેમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌજન્ય અભિવાદનનો જવાબ આપતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અમારી તપાસથી એ સ્પષ્ટ છે કે નીતિન ગડકરી સામાન્ય મુદ્રામાં વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવ્યા બાદ ઉભા હતા. નીચે તમે વાયરલ તસ્વીર અને ઓરિજનલ વીડિયોમાંથી લેવામાં આવેલી તસ્વીરનો તફાવત જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા પછી તેઓ તેમની સામાન્ય મુદ્રામાં પાછા ફર્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર નીતિન ગડકરી દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં ના આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading