Anavil Samaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ડોકટરોના મત મુજબ*, COVID-19 ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઈ શકે. જો દરેકે દરેક જણ સ્ટીમ અભિચાન શરુ કરી દે તો. ઉપરોક્ત દીશા પર કાર્ય કરવા માટે, અમે વિશ્વભરના તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે 5 September thi ૧૨ September એક સપ્તાહ સુધી *વરાળ પ્રક્રિયા* શરૂ કરો, એટલે કે સવારે , બપોરે અને સાંજે વરાળ લેવા ની ફક્ત ૦૫ મીનીટ. નાસ લેવાની પ્રક્રિયા પાણી મા મીઠું, અજમો, રાઈ ના કુરિયા નાખી,, એક અઠવાડિયા માટે આ પ્રથા અપનાવીને અમને ખાતરી છે કે જીવલેણ COVID-19 નાબૂદ થઈ જશે કૃપા કરીને આ સંદેશ તમારા બધા જૂથો, સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મોકલો જેથી આપણે બધા આ કોરોના વાયરસને ભેગા મળીને મારી નાખીએ અને આ સુંદર દુનિયામાં મુક્તપણે HV ચાલીએ. આભાર દરેક ગ્રૂપ મા મોકલાવવા વિનંતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 37 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક અઠવાડિયા સુધી ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે.

FACEBOOK | FB POST ARCHIVE

શું એક અઠવાડિયા માટે ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે? 'સ્ટીમ ડ્રાઇવ' એટલે શું? તે જાણવા માટે ફેક્ટ ક્રેસેન્ડોએ ભારતીય મેડિકલ એસોસિએશનના ડો.અવિનાશ ભોંડવેનો સંપર્ક સાધ્યો હતો.

"ગરમ વરાળના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી કોરોના વાયરસનો નાશ નથી થતો." તેમણે સમજાવતા જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ શ્વાસ મારફતે ગળામાં પાતળા પટલ દ્વારા કોષોમાં પ્રવેશ કરે છે, અને પુન: ઉત્પાદન કરે છે. તેથી જો ગરમ વરાળ લેવામાં આવે તો પણ તેઓ મરી જતાં નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગરમ વરાળ કોરોના વાયરસનો નાશ કરતું નથી. ગરમ પાણીને બાફવું એ કોવિડ -19 નો ઇલાજ નથી. તે કોરોનાને મટાડતો નથી અથવા તેના વાયરસનો નાશ કરતો નથી. બાષ્પ ગમે તેટલો ગરમ હોય, તે કોષોમાં કોરોના વાયરસ સુધી પહોંચી શકતો નથી. તેનાથી વિપરીત, વરાળથી ક્રેકીંગ થવાની સંભાવના છે. તેથી, આવા પગલાં પર વિશ્વાસ ન કરવો જોઇએ અને સંસ્થાઓને પણ અપીલ કરી છે.

ARCHIVE

9 ઓગસ્ટ 2020ના ઓલ ઇન્ડિયા રેડિયોનું એક ટ્વિટ મળ્યું. તે પણ સ્પષ્ટ કરે છે કે ગરમ પાણી અથવા પીણા પીવાથી કોરોના વાયરસનો નાશ થતો નથી. “ગરમ પાણી અથવા કોઈપણ અન્ય ગરમ પીણું પીવાથી કોરોના ચેપની ખાતરી હોતી નથી. વરાળ શરદી અથવા ગળાના દુeખાવાનો ઇલાજ કરી શકે છે, ”ટ્વીટમાં જણાવ્યું હતું.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એક અઠવાડિયા સુધી ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થયો હોવાનો દાવો ખોટો છે. વરાળ કોરોના ચેપને રોકી શકતી નથી. તો સોશિયલ મીડિયા પર 'સ્ટીમ ડ્રાઇવ' અંગેના વાયરલ મેસેજમાં કોઈ તથ્ય નથી.

Avatar

Title:શું એક અઠવાડિયા માટે ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે...? જાણો શું છે સત્ય.....

Fact Check By: Yogesh Karia

Result: False