ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. આ ઘટના ગુજરાતની નહિં પરંતુ રાજસ્થાનની છે. જેનો આરોપી વડોદરાથી પકડાયો હતો.

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે આસપાસના રાજ્યોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને સોશિયલ મિડિયામાં પણ ઘણી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં હાલમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પ્રતિમાને ખંડિત હાલતમાં જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાની આ ઘટના ગુજરાતમાં બનવા પામી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dr Nitin Raut નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાની આ ઘટના ગુજરાતમાં બનવા પામી છે.”

તેમજ આ ફોટોને ઘણા યુઝર દ્વારા શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ ઘટના ગુજરાતના કાજડા ગામની છે. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૈપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 19 સપ્ટેમ્બરના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઝી ન્યુઝ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાજેસ્થાનના ઝુઝુનુંના કાજડા ગામના એક પાર્કમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમાને ગામના જ યુવક મુકેશ ગુર્જર દ્વારા તોડવામાં આવી હતી. મોબાઈલ પર સ્ટેટસ મૂકીને ચેલેન્જ કર્યું હતું કે ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખવામાં આવશે, અને આ જ યુવકે સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકીને પ્રતિમા તોડવાની જવાબદારી પણ લીધી હતી. જો..કે ઘટના બાદ યુવક ફરાર થઈ ગયો હતો.”
ત્યારબાદ વધુ સર્ચ કરતા અમને ઝુઝુનું પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “20 સપ્ટેમ્બરના પ્રતિમા તોડનાર આરોપી મુકેશ ગુર્જરને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મુકેશ ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કર્યા બાદ ફરાર થઈ ચુક્યો હતો. જે રાજસ્થાન પોલીસના હાથે ગુજરાતના વડોદરાથી ઝડપાયો છે.”
પરિણામ
આમ, અમાર પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના ગુજરાતમાં નથી બનવા પામી, પરંતુ રાજસ્થાનના ઝુઝુનું ગામમાં બનવા પામી હતી. જેનો આરોપી ગુજરાતના વડોદરામાંથી ઝડપાયો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:રાજસ્થાનમાં ઇન્દિરા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવાની ઘટનાને ગુજરાતની ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
