તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રી રામની રોશનીથી સજી રહેલા ટાવર ચોકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગરના લાલચોક ટાવરનો છે જેને શ્રી રામની રોશનીથી શણગારવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શ્રી રામની રોશનીથી શણગારવામાં આવેલા ટાવરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શ્રીનગરના લાલચોક ટાવરનો નહીં પરંતુ દહેરાદૂનના ઘંટાઘરનો છે . આ વીડિયોને શ્રીનગરના લાલચોક ટાવર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શ્રીનગર🇮🇳🚩 ‼️જય જય શ્રી રામ ‼️. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગરના લાલચોક ટાવરનો છે જેને શ્રી રામની રોશનીથી શણગારવામાં આવ્યું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા 14 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો રામમય થયેલા દહેરાદૂનના ઘંટાઘરનો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયોમાં 22Scope નામના યુટ્યુબ યુઝર દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેના સાથે પણ આ વીડિયો દહેરાદૂનના ઘંટાઘરનો હોવાની માહિતી આપવામાં આવી છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Republic Bharat | ANI News

નીચે તમે શ્રીનગરના લાલચોક ટાવર અને દહેરાદૂનના ઘંટાઘર વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શ્રી રામની રોશનીથી શણગારવામાં આવેલા ટાવરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શ્રીનગરના લાલચોક ટાવરનો નહીં પરંતુ દહેરાદૂનના ઘંટાઘરનો છે . આ વીડિયોને શ્રીનગરના લાલચોક ટાવર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો શ્રીનગરના લાલ ચોક પર કરવામાં આવેલ શ્રી રામની રોશનીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False