અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ વીડિયોને રામમંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો નાગપુરના મહાલક્ષ્મી જગદંબા દેવી મંદિર સ્થિત રામાયણ કલ્ચરલ સેન્ટરનો છે.

અયોધ્યામાં રામ મંદિરને લઈને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બિલ્ડિંગનો આંતરિક ભાગ બતાવવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ સારી ફ્લોરિંગ, લાઇટિંગ અને સુંદર પેઇન્ટિંગ્સ છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અયોધ્યાના રામ મંદિરની અંદરનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satish Chheda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અયોધ્યાના રામ મંદિરની અંદરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પહેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને 8 જુલાઈ 2023ના રોજ નાગપુર એક્સપ્રેસ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો મળ્યો. વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “કોરાડી મંદિર || નાગપુર રામ મંદિર (કોરાડી મંદિર || નાગપુર રામ મંદિર)

તેમજ આ ક્લુના આધારે અમે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને નાગપુરના મહાલક્ષ્મી જગદંબા દેવી મંદિરના રામાયણ કેન્દ્રના ઘણા ફોટા અને વીડિયો મળ્યા, જે વાયરલ વીડિયો જેવા જ હતા.

તેમજ અમને એ પણ જાણવા મળ્યુ કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા જૂલાઈ 2023ના નાગપુરના આ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ હતુ.

અયોધ્યામાં રામ મંદિરનું કાર્ય ચાલી રહ્યુ છે.

તેમજ મીડિયા અહેવાલ અનુસાર, અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેને સમયસર લોકો માટે ખોલવામાં આવે તેવી સંભાવના છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં ઘણું કામ કરવામાં આવ્યું છે, પરંતુ મંદિરનો કોઈ ભાગ સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોનો રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો નાગપુરના મહાલક્ષ્મી જગદંબા દેવી મંદિર સ્થિત રામાયણ કલ્ચરલ સેન્ટરનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: આ વીડિયો અયોધ્યાના રામ મંદિરનો નથી, પરંતુ નાગપુરના રામાયણ કેન્દ્રનો છે...

Written By: Frany Karia

Result: False