
ક્ષતિય સમાજને લઈ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા વિવાદમાં ફસાયા છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પુરષોત્તમ રૂપાલાએ ખેડૂતો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યાનું જણાવવામાં આવ્યુ છે. આ ન્યુઝપેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પુરષોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતો અંગેનું આ નિવદેન હાલમાં આપવામાં આવ્યુ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પુરષોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતો અંગેનું આ નિવદેન હાલમાં આપવામાં આવ્યુ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોંગ્રેસ નેતા પૂંજા વંશ દ્વારા 2 ડિસેમ્બર 2018ના ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી, જેમા તેણે આ જ ન્યુઝ પેપરનું કટિંગ શેર કર્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
જે ક્લુના આધારે સર્ચ કરતા અમને S9 News – Gujarat ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 30 ઓક્ટોબર 2018ના પ્રસારિત પુરષોત્તમ રૂપાલાનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ જેમાં તે આ પ્રકારે નિવેદન આપતા જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ પુરષોત્તમ રૂપાલાનું નિવેદન હાલનું નહિં પરંતુ વર્ષ 2018નુ છે. તેમના દ્વારા ખેડૂતોને લઈ આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ખેડૂતોને લઈ પુરષોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન વર્ષ 2018માં આપવામાં આવ્યુ હતુ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
