આ મહિલાએ રામ મંદિર માટે નહીં, પરંતુ વૃંદાવનમાં એક ગૌશાળામાં દાન આપ્યું હતું… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ ફોટોમાં દેખાતી વૃદ્ધ મહિલાએ 6 વર્ષ પહેલા રામ મંદિર માટે નહીં પરંતુ વૃંદાવનમાં ગૌશાળા બનાવવા માટે દાન આપ્યું હતું.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પીળી સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલાનો ફોટોને વાયરલ કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વૃદ્ધ મહિલાએ રામ મંદિર માટે 51 લાખ રૂપિયા જેટલું દાન કર્યું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વૃદ્ધ મહિલાએ રામ મંદિર માટે 51 લાખ રૂપિયા જેટલું દાન કર્યું છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 22મી મે 2017ના રોજ ‘શ્રી બાંકે બિહારી જી વૃંદાવન’ નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલો તે જ વાયરલ ફોટો મળ્યો. કેપ્શનમાં લખ્યું છે, “બિહારી મંદિરની બહાર બેઠેલી આ મહિલાએ છેલ્લા 30 વર્ષમાં 51,02,550 રૂપિયા એકઠા કર્યા અને તેમાંથી 40 લાખ રૂપિયા ગોશાળાઓ અને ધર્મશાળાઓ બનાવવા માટે દાનમાં આપ્યા.”  

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ 26 મે 2017ના રોજ આ અંગે એક સમાચાર પ્રકાશિત કર્યા હતા. ફુલવતી નામની 70 વર્ષીય મહિલાએ વૃંદાવનમાં ગોશાળા અને ધર્મશાળા બનાવવા માટે જીવનભરની રોકડ અને સંપત્તિ વેચીને એકઠા કરેલા રૂ. 40 લાખનું દાન કર્યું. 

આ સમાચાર વાયરલ થયા પછી, એબીપી ન્યૂઝ ચેનલે વૃંદાવનમાં ‘શ્રી બાંકે બિહારી જી’ મંદિરની મુલાકાત લીધી અને દાન આપનાર મહિલાને શોધી કાઢી. મહિલાનું નામ યશોદા છે અને તે મધ્યપ્રદેશના જબલપુર શહેરથી 90 કિમી દૂર કટની નગરની વતની છે. પતિના મૃત્યુ પછી તે વૃંદાવન આવી. કટનીમાં તેનું ઘર વેચીને તેને મળેલા 45 લાખ રૂપિયામાંથી તેણે 15 લાખ રૂપિયા ગોશાળા અને હોલ માટે દાનમાં આપ્યા. 

તમે અહીં એબીપી ન્યૂઝ દ્વારા આ વૃદ્ધ મહિલા યશોદનો ઇન્ટરવ્યુ જોઈ શકો છો.

રામ મંદિર દાન

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અયોધ્યામાં રામ મંદિરને ભક્તો દ્વારા ઓનલાઈન દાન દ્વારા કુલ રૂ. 3.17 કરોડ મળ્યા હતા અને મહારાષ્ટ્રના ભક્તો દ્વારા 80 કિલો સોનું અને પિત્તળની તલવાર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી હતી.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, વાયરલ ફોટોમાં જોવા મળતી વૃદ્ધ મહિલાએ 6 વર્ષ પહેલા વૃંદાવનમાં ગોશાળા બનાવવા માટે દાન આપ્યુ હતુ રામ મંદિર બનાવવા માટે દાન આપ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ મહિલાએ રામ મંદિર માટે નહીં, પરંતુ વૃંદાવનમાં એક ગૌશાળામાં દાન આપ્યું હતું… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False