આ વીડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2022નો છે. આનાથી સાબિત થાય છે કે આ તાજેતરના નૂહ રમખાણોનો વીડિયો નથી.

31 જુલાઈએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને રમખાણોને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ત્યાં હાજર લોકોની ભીડ પર પથ્થર ફેંકી રહ્યો છે. તેમાં તમે લોકોને ભાજપનો ઝંડો પકડીને જોઈ શકો છો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો તાજેતરની નૂહ હિંસાનો છે. આ ભાજપનો કાર્યકર છે અને તેણે પહેલા પથ્થરમારો કરીને હિંસા શરૂ કરી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel G નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો તાજેતરની નૂહ હિંસાનો છે. આ ભાજપનો કાર્યકર છે અને તેણે પહેલા પથ્થરમારો કરીને હિંસા શરૂ કરી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યૂઝ ટુડે ચેનલ નામના પેજ પર 25 ઓગસ્ટ 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલો આ જ વીડિયો મળ્યો. તેમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ વીડિયો તેલંગાણાનો છે. જેમાં જણાવાયું છે કે, બીજેપી કાર્યકર્તાઓએ તેલંગાણા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તમે નીચે આ પોસ્ટ જોઈ શકો છો.

આ વીડિયો એક વર્ષથી ઈન્ટરનેટ પર હાજર હોવાથી અમે કહી શકીએ કે આ વીડિયો નુહ હિંસા કે રમખાણો સાથે સંબંધિત નથી.

આ પછી, અમે આ વીડિયોનું વધુ સ્પષ્ટ સંસ્કરણ શોધવા માટે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. અમને 24 ઓગસ્ટ, 2022 ના રોજ ટ્વિટર યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. તમે તે વીડિયો નીચે જોઈ શકો છો.

Archive

આમાં તમે જોઈ શકો છો કે બસ પર લખેલા નંબરની આગળ “TS” લખેલું છે. ત્યાર બાદ તેમાં દેખાતી દુકાનના બોર્ડ પર તેલુગુ ભાષામાં લખેલું છે. આ સાથે રોડ પરના સ્થળોના નામ દર્શાવતા બોર્ડ પર ‘સૂર્યપેટા’ લખેલું છે. તમે નીચેની તસવીરોમાં આ બધું જોઈ શકો છો.

બસ પર TS લખાયેલો એટલે તેલંગાણા, તે બોર્ડ પર તેલુગુ ભાષામાં લખાયેલું છે. અને તેની બાજુમાં એક બોર્ડ છે જેના પર સૂર્યપેટ લખેલું છે, જે તેલંગાણાના એક શહેરનું નામ છે. તેના પરથી કહી શકાય કે આ વીડિયો તેલંગાણાનો છે.

આ વીડિયો વિશે વધુ જાણવા માટે, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. 24 ઓગસ્ટના રોજ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, તેલંગાણાના બીજેપી નેતા ટી રાજા સિંહને પૈગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. જેના કારણે પથ્થરમારો થયો હતો અને મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ પણ કર્યો હતો. તે દરમિયાન પથ્થરમારો અને તોફાનો પણ થયા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો એ જ ઘટનાનો છે. આ સિવાય તમે 25 ઓગસ્ટના રોજ પ્રસારિત ઈન્ડિયા ટાઈમ્સ ચેનલ પર તે સમયે તેલંગાણામાં થયેલા રમખાણોનો અહેવાલ જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલમાં હરિયાણાના નૂરમાં થયેલા તોફાન દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2022નો તેલગંણાનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:BJP કાર્યકર દ્વારા પથ્થરમારો કરવાનો વીડિયો નૂહમાં રમખાણો દરમિયાનનો નથી.

Written By: Frany Karia

Result: False