સપ્ટેમ્બર 2019 માં, પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ સરકારના વિરોધમાં પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી હતી. વાયરલ થયેલો વિડિયો એ જ પ્રદર્શનનો છે. આનો તાજેતરના વિરોધ સાથે કોઈ સંબંધ નથી.

યુપીના હાપુડમાં વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજ્યના વકીલો ઘણા દિવસોથી હડતાળ પર ગયા હતા. આ જ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઠાઠડી પર અંતિમયાત્રા કાઢી અને તેના પર ઉત્તર પ્રદેશ સરકાર લખી અને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રયાગરાજમાં વકીલોએ યોગી સરકારની પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rakesh Hemrajani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રયાગરાજમાં વકીલોએ યોગી સરકારની પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો ટવિટર યુઝર રાજેશ રંગના એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. જે વીડિયો 15 સપ્ટેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ 12 સપ્ટેમ્બર 2019નો પ્રયાગરાજનો વીડિયો છે. જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ યોગી સરકારની પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી હતી.”
અખંડ ભારત ટીવી નામની યુટ્યુબ ચેનલ પર અમને વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વીડિયો 12 સપ્ટેમ્બર, 2019ના રોજ અપલોડ કરાવામાં આવ્યો હતો. “આ વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ પ્રતિકાત્મક અંતિમયાત્રા પ્રયાગરાજના આંબેડકર સ્ક્વેરથી કાઢવામાં આવી હતી. લખનઉંમાં રાજ્ય શિક્ષણ સેવા સત્તામંડળની સ્થાપનાના વિરોધમાં આ યાત્રા કાઢવામાં આવી હતી.”
તેમજ વધુ સર્ચ કરતા અમને પત્રિકા દ્વારા પ્રસારિત એક સમાચાર મળ્યા. 11 સપ્ટેમ્બર 2019ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, “અલ્હાબાદ હાઈકોર્ટના વકીલો લખનઉંમાં સ્ટેટ એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલની સ્થાપનાના વિરોધમાં ગુસ્સે થઈ ગયા હતા. તેમણે રાજ્ય સરકારની અંતિમયાત્રા કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સપ્ટેમ્બર 2019 માં, પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ સરકારના વિરોધમાં પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી હતી. વાયરલ થયેલો વિડિયો એ જ પ્રદર્શનનો છે. આનો તાજેતરના વિરોધ સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: ચાર વર્ષ જુના યોગી સરકારના વિરોધને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Missing Context
