મોહમ્મદ શામી સહિત ત્રણ ભારતીય ખેલાડીને કાયમી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

False Sports રાષ્ટ્રીય I National

ભારતની ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને લઈ સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. જેમાંની આ પણ એક અફવા છે. કોઈપણ ખેલાડીને લઈ બીસીસીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ, ભારતીય ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાઝ, સુર્યા કુમાર યાદવને કાયમી માટે ટીમ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાઝ, સુર્યા કુમાર યાદવને કાયમી માટે ટીમ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb article archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

જો આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તમામ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યો જ હોય તેથી અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતુ. 

તેમજ અમારી પડતાલને અમે વધુ આગળ વધારી હતી અને બીસીસીઆઈની વેબસાઈટ પર ચકાસણી કરતા અમને ત્રણેય ખેલાડી બીસીસીઆઈની પ્લેયરની યાદીમાં પ્રાપ્ત થયા હતા. જેમાં મોહમ્મદ શામી ગ્રેડ-એમાં તેમજ મોહમ્મદ સિરાઝ અને સુર્યા કુમાર યાદવ ગ્રેડ-બીની યાદીમાં જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

બીસીસીઆઈ 

તેમજ હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 મેચમાં તો સુર્યા કુમાર યાદવ ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યા છે. તેમને ટીમમાંથી કાયમી માટે કાઢી નાખવાની વાત તદ્દન ખોટી છે.  

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત ક્રિકેટ એસોશિયેશનના સ્પોક પર્સન મનીષ શાહ જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો જ ન હોય, ભારતની ફાઈનલમાં હાર બાદ લોકો દ્વારા મનઘડત વાર્તાઓ ચલાવી રહ્યા છે. ક્રિકેટની રમતમાં હાર-જીત તો થતી જ હોય છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતની ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને લઈ સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. જેમાંની આ પણ એક અફવા છે. કોઈપણ ખેલાડીને લઈ બીસીસીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મોહમ્મદ શામી સહિત ત્રણ ભારતીય ખેલાડીને કાયમી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False