આ વીડિયો તેલંગાણાના મુનુગોડેનો છે. ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તે જ ઘટનાનો વીડિયો છે.

કર્ણાટકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગયા મહિને રાજ્યભરમાં વિજય યાત્રા કરી હતી. આ યાત્રામાં ઉમેરો કરીને, ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે લોકોને એકબીજા સાથે લડતા જોઈ શકો છો. તેમાં તમે લોકોને ત્યાં પાર્ક કરેલા બીજેપીના પ્રચાર વાહન પર હુમલો કરતા પણ જોઈ શકો છો. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકમાં લોકોએ ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકર્તાઓનો પીછો કર્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટકમાં લોકોએ ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકર્તાઓનો પીછો કર્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ફેસબુક પર કીવર્ડ સર્ચ કરીને આ વીડિયોની ચકાસણી કરી છે. ત્યાં અમને 1 નવેમ્બર 2022ના રોજ એક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો. તેમાં, અમને 0.48 મિનિટથી વાયરલ ક્લિપ જોવા મળી. તમે નીચે આપેલા વીડિયોમાં જોઈ શકો છો.
તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયોમાં મુનુગોડેમાં બીજેપી અને બીઆરએસ (ભારત રાષ્ટ્ર સમિતિ)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.
આ માહિતીને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું. ત્યાં અમને ઈન્ડિયા ટુડેનો થોડા મહિના પહેલા 2 નવેમ્બરના રોજ પ્રસારિત થયેલો અહેવાલ મળ્યો. તેમાં તમે વાયરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યો જોઈ શકો છો. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેલંગાણામાં મુનુગોડે પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને બીઆરએસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો કર્ણાટકનો નથી પરંતુ તેલંગાણાના મુનુગોડેનો છે. ત્યાં યોજાયેલી પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તેનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કર્ણાટકમાં ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકરોનો લોકોએ પીછો કર્યો ન હતો…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
