શું ખરેખર આ લેઝર શોનું હાલમાં અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Gujju Waves નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેસ્ટ લેસર શો રામ નગરી અયોધ્યા માં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં અયોધ્યામાં લેઝર શોનું આયોજન કરવામાં આવ્યુ તેનો વિડિયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

તારીખ 5 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસની વિધી કરી હતી. તે દિવસે જ વાયરલ થઈ રહેલો આ વિડિયો લોકોના માનસ પટલમાં હાલનો હોવાનું દર્શાવી રહી છે. તેથી ખરેખર આ વિડિયો હાલનો છે કે નહિં તે જાણવુ જરૂરી હતુ. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.  

ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 14 એપ્રિલ 2019 ના રોજ એક યુ ટ્યુબ ચેનલ દ્વારા વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “રામ નવમી 2019 લેસર લાઇટ શો રેલી, જય શ્રી રામ.” આ વીડિયોમાં શહાદા હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિડિઓની નીચે, એક વ્યક્તિ દ્વારા આ વિડિઓના સ્થાન વિશે પૂછવામાં આવ્યુ છે, જેના જવાબમાં ચેનલે જવાબ આપ્યો છે કે “આ વિડિયો મહારાષ્ટ્રના શાહદા વિસ્તારનો છે જ્યાં મહારાષ્ટ્રની બીજી સૌથી મોટી રામ નવમી રેલી કાઢવામાં આવે છે.”

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને તારીખ 16 એપ્રિલ 2019ના એક મરાઠી સ્થાનિક ચેનલ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરાવામાં આવેલો વિડિયો મળી આવ્યો હતો. જે વિડિઓના શીર્ષક મુજબ, તે શાહદા (મહારાષ્ટ્ર)માં રામ નવમીની રેલીનો છે.

આમ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, વાયરલ થયેલો વિડિયો હાલનો નથી પણ એક વર્ષ કરતા વધારે જૂનો છે. આ વિડિયોને અયોધ્યા સાથે સંબંધ નથી, આ વિડિયો વર્ષ 2019ના રામ નવમીમાં મહારાષ્ટ્રમાં યોજાયેલા લેસર શોનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો અયોધ્યાનો નહિં પરંતુ વર્ષ 2019નો મહારાષ્ટ્રનો છે.

Avatar

Title:શું ખરેખર આ લેઝર શોનું હાલમાં અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False