
ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં 27 મહિનાથી બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન 20 મેના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ સંદર્ભમાં તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “યોગીજી મુગલ અમારા આદર્શ નથી, અમારા આદર્શ રામ છે, કૃષ્ણજી પણ છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરમાં જેલમાંથી છૂટ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વીડિયો ખોટા સંદર્ભ સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલનો નથી પરંતુ પાંચ વર્ષ જૂનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Oganiya Sachin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરમાં જેલમાંથી છૂટ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ વિડીયોની સત્યતા જાણવા માટે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરીને તેનો ઓરિજનલ વિડિયો શોધ્યો. અમને સમાજવાદી પાર્ટીની વેરિફાઈડ ચેનલ પર 7 ઓક્ટોબર 2017ના રોજ પ્રસારિત થયેલો ઓરિજનલ વિડિયો મળ્યો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, આ વિડિયો 2017માં આગ્રામાં યોજાયેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનો છે.
આ વિડિયો વર્ષ 2017માં પ્રસારિત થયો હોવાથી, અમે સમજીએ છીએ કે તેની ધરપકડ કે તેની હાલની રિલીઝ સાથે તેને કોઈ લેવાદેવા નથી.
આ વિડિયો જોતા અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલા વિડિયોને ક્લિપ કરીને શેર કરવામાં આવ્યો છે. આમાં આઝમ ખાનના આ નિવેદનનો વાસ્તવિક સંદર્ભ શું છે, તે જણાવવામાં આવ્યું નથી. આ વિડિયોમાં તમે 13.16 મિનિટથી લઈને આગળ સુધી તેમનું સંપૂર્ણ નિવેદન સાંભળી શકો છો.
તેઓ કહે છે કે કુરાન અને પયગમ્બરે કહ્યું છે કે કોઈના ધાર્મિક પેશવા અથવા કોઈપણ ધર્મના મહાપુરૂષોનું અપમાન ન કરો. કારણ કે અલ્લાહે જમીન પર 120,000 પયગંબરો મોકલ્યા હતા. અને વિશ્વના તમામ મહાપુરૂષો, તેઓ તેમના સમયના પયગંબરો હોઈ શકે છે, તેઓ અલ્લાહના સંદેશવાહક હતા. પછી તેણે કહ્યું કે મુઘલ તેમના આદર્શ નથી, પરંતુ રામ અને કૃષ્ણ તેમની મૂર્તિ છે.
તમે જોઈ શકો છો કે આઝમ ખાનના અધૂરા નિવેદનને મૂળ વિડિયો ક્લિપ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઓરિજિનલ વિડિયો અને વાયરલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે આપેલા સરખામણી વિડિયોમાં જોઈ શકો છો.
તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરી 2020ના રોજ આઝમ ખાનને તેમના પુત્ર અને પત્ની સાથે તેમના પુત્રનું નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે સીતાપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. 19 મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. આ જામીન ત્યાં સુધી છે જ્યાં સુધી તેની નિયમિત જામીન અરજીનો નિર્ણય ન આવે.
પરિણામ
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ભ્રામક છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે એટલે કે પાંચ વર્ષ જુનો વિડિયો છે.

Title:શું ખરેખર આઝમ ખાને જેલમાંથી છૂટ્યા પછી કહ્યું હતું કે રામ અને કૃષ્ણ તેમના મૂર્તિ છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
