વાયરલ થયેલી પ્રેસ કોન્ફરન્સ હાલની નથી પરંતુ વર્ષ 2023ની છે જ્યારે અજય માકન દિલ્હીમાં દારૂના કૌભાંડ અંગે વાત કરી રહ્યા હતા.

દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના કલાકો પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોંગ્રેસના અજય માકન આ કેસ વિશે વાત કરતા જોવા મળે છે. કોંગ્રેસ પાર્ટીના ખજાનચી પ્રેસને કહે છે કે દારૂનું કૌભાંડ શું છે. તેમણે જણાવ્યું કે કૌભાંડના પૈસા ક્યાં વપરાયા છે. તેમણે કૌભાંડમાં નામ આપવામાં આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું તેમની સીટ પર રહેવાની કોઈ નૈતિક જવાબદારી નથી. સોશિયલ મીડિયા યુઝરનો દાવો છે કે અજય માકને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રસના નેતા અજય માકનની આ પ્રેસ કોન્ફરન્સ હાલમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદની છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે યુટ્યુબ અને ગૂગલ પર કીવર્ડ દ્વારા વાયરલ વીડિયોના સર્ચ કર્યો, પરિણામે અમને કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર વાયરલ ઇન્ટરવ્યુનો વીડિયો મળ્યો. 4 ફેબ્રુઆરી 2023ના રોજ આ વીડિયો અપલોડ કરતી વખતે, હેડલાઇન લખવામાં આવી છે કે “સંપૂર્ણ PC કોંગ્રેસ. અજય માકન. લોકપાલ. અરવિંદ કેજરીવાલ. દિલ્હી દારૂ કૌભાંડ. 100 કરોડનું કૌભાંડ” આના પરથી સ્પષ્ટ થઈ શકે છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી. વાયરલ વિડિયોમાંથી એક અંશો 7 મિનિટ 3 સેકન્ડના ટાઇમસ્ટેમ્પ સાથે સાંભળી શકાય છે.
આ વીડિયોમાં માકન 100 કરોડના કૌભાંડ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલાનો છે.
કેજરીવાલની ધરપકડ સમયે માકનની પ્રેસ કોન્ફરન્સની ક્લિપ શેર કરીને, યુઝર્સે સંકેત આપ્યો છે કે વીડિયો તાજેતરનો છે કારણ કે, દાવામાં પ્રેસ કોન્ફરન્સનો કોઈ સમય કે તારીખનો ઉલ્લેખ નથી.
ઉપરોક્ત રૂ. 100 કરોડના કૌભાંડને લગતું નિવેદન “દિલ્હી દારૂ કૌભાંડ પર અજય માકનનું નિવેદન” શીર્ષકથી બહાર પાડવામાં આવ્યું હતું. આ મીડિયા પ્રકાશન 4 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રકાશિત થયું હતું. તદનુસાર, EDની ચાર્જશીટ/રિપોર્ટ, જે જાહેરમાં બહાર આવી છે, તેમાં સ્પષ્ટપણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઓછામાં ઓછા રૂ.100 કરોડની બ્રોકરેજ નક્કી કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દોષિત મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના તાત્કાલિક રાજીનામાની માંગ કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થયેલી પ્રેસ કોન્ફરન્સ હાલની નથી પરંતુ વર્ષ 2023ની છે જ્યારે અજય માકન દિલ્હીમાં દારૂના કૌભાંડ અંગે વાત કરી રહ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:દિલ્હી દારૂ કૌભાંડ પર કોંગ્રેસની જૂની ક્લિપ ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવી રહે છે… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Misleading
