
ઓક્સિજન સપ્લાયની દેશવ્યાપી અછતની વચ્ચે ઓક્સિજનની અછતથી પિડાતા દર્દીઓ માટે વૈજ્ઞાનિક રીતે અપ્રૂધિત સમાધાનનો પ્રચાર કરતી એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સર્વોદય હોસ્પિટલના ડો.આલોકના વાયરલ વિડિયોમાંના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, “જો ઓક્સિજન સિલિન્ડર ન મળે તો નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સપ્લાય માટે કરી શકાય છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઓક્સિજન સિલિન્ડરના વિકલ્પ તરીકે કોઈએ નેબ્યુલાઇઝરનો ઉપયોગ ન કરવો જોઇએ. સર્વોદય હોસ્પિટલ, તબીબી નિષ્ણાતો અને વિડિયો વાયરલ કરનારે ખુદ ખુલાસો કર્યો હતો કે, વિડિયોમાં કરવામાં આવેલા દાવાઓ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી અને સંપૂર્ણ ખોટા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
JB JB નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જો ઓક્સિજન સિલિન્ડર ન મળે તો નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સપ્લાય માટે કરી શકાય છે.”
Facebook | Fb post Archive | Fb video archive
ઘણા લોકો આ વિડિયોનો શેર કરી માહિતી આપી રહ્યા છે. સર્વોદય હોસ્પિટલ ફરીદાબાદના ડો.આલોક ઓક્સિજનના સ્તરને સુધારવા માટે નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરીને એક ઉત્તમ તકનીક બતાવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ફરિદાબાદની સર્વોદય હોસ્પિટલ સાથે વિડિયોની સ્પષ્ટતા તપાસવા માટે તપાસ શરૂ કરી હતી.
અમને જાણવા મળ્યું છે કે, સર્વોદય હોસ્પિટલે ઉપરોક્ત વિડિઓ સાથેના કોઈપણ જોડાણને સ્પષ્ટપણે નકારી કાઢ્યુ છે. અને તેને અવૈજ્ઞાનિક ગણાવ્યુ છે. તેણે લોકોને વિડિયોમાં આપેલી સૂચનાઓને માનવા અથવા તેનું પાલન ન કરવા પણ કહ્યું હતું.
તેમણે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઓક્સિજન સિલિન્ડરના વિકલ્પ તરીકે નેબ્યુલાઇઝરના ઉપયોગની વિડિયોને કોઈ પણ વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી, તે કોઈ તબીબી સલાહને પ્રતિબિંબિત કરતું નથી, અને સર્વોદય હોસ્પિટલ, ફરિદાબાદ દ્વારા તેમને સમર્થન આપવામાં આવતુ નથી.”
ફક્ત સર્વોદય હોસ્પિટલ જ નહીં પરંતુ તબીબી નિષ્ણાંતો અને ડોકટરો દ્વારા પણ આ વિડિયોને નકારી કાઢવામાં આવ્યો છે.
વિડિયોમાં દાવાઓને વખોડતા મેદંતા હોસ્પિટલના ગ્રુપ ચેરમેન ડો.અરવિન્દર સિંઘ સોઇને ટ્વિટર પર માહિતી આપી હતી કે, “લોહીના ઓક્સિજનના સ્તરને સુધારવા માટે ઓક્સિજન સિલિન્ડર માટે નેબ્યુલાઇઝર મશીનનો વિકલ્પ લઈ શકે તેવી કલ્પનાશીલ તકનીક દર્શાવતી વિડિયો તદ્દન પાયાવિહોણી છે.”
The video demonstrating a purported technique that can substitute a nebulizer machine for an oxygen cylinder to improve blood oxygen levels is totally baseless. It should be discredited.
— Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) April 24, 2021
ઈન્ડિયા ટુડે અનુસાર, વિડિયોમાં જોવા મળતી વ્યક્તિનું નામ ડો.આલોક શેઠી છે જેણે કબૂલ્યું હતું કે વિડિયોમાંની માહિતી સંપૂર્ણ ખોટી છે.
આ અહેવાલ મુજબ, “તે ફક્ત નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરવાની પદ્ધતિ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે તેને ચાલુ ઓક્સિજન કટોકટી સાથે જોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે એક ભ્રામક વિડિયો બની ગઈ હતી.
નેબ્યુલાઇઝર એટલે શું?
નેબ્યુલાઇઝરએ ડ્રગ ડિલિવરી ડિવાઇસ છે જેનો ઉપયોગ ફેફસાંમાં શ્વાસ લેવામાં આવતી ધુમ્મસના સ્વરૂપમાં દવા સંચાલિત કરવા માટે થાય છે.
અમેરિકન લંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, નેબ્યુલાઈઝરનો મહત્મ ઉપયોગ તેવા રોગના દર્દીઓ માટે થાય છે જેમની પાસે સ્વાસ્થય સમસ્યાઓના કારણે ઈનહેલર્સનો ઉપયોગ કરવા માટે ખરાબ સમય હોય છે. અથવા એવા દર્દીઓ માટે થાય છે જે પર્યાપ્ત રૂપે શ્વાસ લેવામાં અસમર્થ હોય છે.
સી.ઓ.પી.ડી. અથવા અસ્થમાવાળા જૂના ફેફડાના ઘણા લોકો પોતાની દવા લેવા માટે એક નેબુલાઈઝરનો ઉપયોગ ધુમ્મસના રૂપમાં કરતા હોય છે. જે ફેફડામાં હોય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઓક્સિજન સિલિન્ડરના વિકલ્પ તરીકે કોઈએ નેબ્યુલાઇઝરનો ઉપયોગ ન કરવો જોઇએ. સર્વોદય હોસ્પિટલ, તબીબી નિષ્ણાતો અને વિડિયો વાયરલ કરનારે ખુદ ખુલાસો કર્યો હતો કે, વિડિયોમાં કરવામાં આવેલા દાવાઓ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી અને સંપૂર્ણ ખોટા છે.

Title:ના, નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડરના વિકલ્પ તરીકે થવો જોઈએ નહીં..
Fact Check By: Yogesh KariaResult: False
