Drmanoj Barot નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, *લ્યો એક નવુ નજરાણુ...* *સ્કુલ ના પુસ્તકો પર લાગશે ટેક્સ...* *પઢેગા ઇન્ડીયા તભી તો સવાલ કરેગા ઇન્ડીયા..* 🙃🙃🙃🙃🙃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર પણ ટેક્સ લગાવવામાં આવશે. આ પોસ્ટને 47 લોકોએ લાઈક કરી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.28-21_37_54.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર પણ ટેક્સ લગાવવામાં આવશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની સત્તાવાર વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. આ વેબસાઈટ પર સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ચેપ્ટર 49 માં પુસ્તકો પરના ટેક્સ વિશેની તમામ માહિતી આપવામાં આવી છે. છાપેલા પુસ્તકો, બ્રેઈલ પુસ્તકો, અખબારો, જર્નલો, બાળકોના ચિત્રો, ડ્રોઈંગ અથવા રંગીન પુસ્તકો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-gstcouncil.gov.in-2020.09.28-22_12_23.png

Archive

વધુમાં અમને thehindubusinessline.com દ્વારા 27 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, શાળાના પાઠ્યપુસ્તકો સિવાયના કોઈ પણ પુસ્તકો પર સરકાર દ્વારા જીએસટી કે કોઈ પણ પ્રકારનો અન્ય ટેક્સ લગાવવામાં આવતો નથી.

PIB Fact Check દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False