
હાલમાં સોશિયલ મીડિયામાં સમાચારપત્રનું એક કટિંગ શેર કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જાહેરાત આપવામાં આવવી છે અને જણાવવામાં આવ્યુ છે કે, સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય તેમજ જન કલ્યાણ સંસ્થા દ્વારા ઉપરોક્ત જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ જાહેરાત ખોટી છે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈ જ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી નથી. જેની પુષ્ટી સરકાર દ્વારા કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarat Education Portal નામના ફેસબુક પેજ દ્વારા 18 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય અને જન કલ્યાણ સંસ્થા દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રમાં દર્શાવ્યા મુજબની ભરતી કરવામાં આવી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ પોસ્ટ જોતા જ શંકા ઉપજાવે તેવી હતી. કારણ કે, સરકારી નોકરીમાં ભરતીની જાહેરાત સાથે પગાર લખેલો એ આશ્ચર્ય ઉપજાવે એવું છે.
બાદમાં અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી જાહેરાતમાં આપેલી વેબસાઈટ www.sajks.org ની મુલાકાત લીધી હતી. પરંતુ આ વેબસાઈટ કોઈ સરકારી નહિં પરંતુ ખાનગી હોવાનું લાગી રહ્યું હતું. ગુગલમાં પણ આ પ્રકારે કોઈ સરકારી વેબસાઈટ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નહતી. હાલમાં ઉપરોક્ત લિંક બંધ કરી દેવામાં આવી છે.
અમારી વધુ તપાસમાં અમે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mohfw.gov.in પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની ભરતી પ્રક્રિયા અંગે સર્ચ કરતાં અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
વધુમાં અમને PIB Fact Check દ્વારા પણ આ માહિતીને ખોટી ઠેરવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈ જ ભરતી બહાર પાડવામાં આવી નથી. જેની પુષ્ટી સરકાર દ્વારા કરવામાં આવી છે.

Title:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય તેમજ જન કલ્યાણ સંસ્થા દ્વારા ભરતી અંગેની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
