તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે મસ્જિદ અને મદરેસાને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ બિન જામીનપાત્ર ગુનો માનીને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી હોવાનું રાજસ્થાન સરકાર અને રાજસ્થાન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા આ પ્રકારની ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vadodara Is Great નામના ફેસબુક યુઝર દ્વારા 1 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન ના મુખ્યમંત્રી શ્રી અશોક ગહેલોત દ્વારા નવો કાયદો લાગુ!. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ બિન જામીનપાત્ર ગુનો માનીને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

screenshot-www.facebook.com-2021.09.07-20_43_28.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી કે સમાચાર અમને પ્રાપ્ત થયા નહતા.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રાજસ્થાન સરકારના સોશિયલ મીડિયાના પીઆરઓ આશિષ જૈન તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના સહાયક નિર્દેશક વિજય ખંડેલવાલનો સંપર્ક કર્યો હતો. તેઓને અમે વાયરલ થઈ રહેલી માહિતી વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ થઈ રહેલી પોસ્ટ તદ્દન ખોટી તેમજ ફેક છે. રાજસ્થાન સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ કાનૂની નિયમ બનાવવામાં નથી આવ્યો તેમજ આ પ્રકારની કોઈ જ સૂચના બહાર પાડવામાં નથી આવી. અમે વાયરલ થઈ રહેલી માહિતીનું અમારા સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખંડન પણ કર્યું છે.”

અમારી વધુ તપાસમાં અમને DIPR Rajasthan Fact Check નામના ફેસબુક પેજ દ્વારા 1 સપ્ટેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ માહિતી ખોટી હોવાનું જમાવવામાં આવ્યું છે. તેમજ તેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “સોશિયલ મીડિયા પર ફરતા આ સમાચાર ખોટા અને ભ્રામક છે. રાજસ્થાન સરકાર આ વાતનું ખંડન કરે છે.”

અમારી વધુ તપાસમાં અમને Rajasthan Police દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ 1 સપ્ટેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી હોવાનું રાજસ્થાન સરકાર અને રાજસ્થાન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાન સરકારે મસ્જિદ અને મદરેસા માટે નવી સૂચના બહાર પાડી...?

Fact Check By: Vikas Vyas

Result: False