ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો

22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પૃષ્ઠભૂમિ સામે એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે તપાસ કરતા અમને જાણવા મળ્યુ કે, હૈદરાબાદમાં આવી કોઈ ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી હોવાના કોઈ સત્તાવાર સમાચાર નથી.

તેથી અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યથી સર્ચ કરતા અમને આ વીડિયો 6 મહિના પહેલાનો હોવાનું જાણવા મળ્યુ હતુ.

આ વીડિયો 9મી જુલાઈ 2023ના રોજ બાગેશ્વર ધામ સરકારની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, "આ જેતપુર ગ્રેટર નોઈડામાં શોભા યાત્રા અને કળશ યાત્રા છે."

નીચેના વિડિયોમાં 59 સેકન્ડમાં, તમે પ્રથમ અને ત્રીજી ફ્રેમમાં વાયરલ ક્લિપ જોઈ શકો છો.

ETV ઈન્ડિયાના સમાચાર મુજબ, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 6 દિવસની હનુમાન કથાનું આયોજન ગયા વર્ષે 10 થી 16 જુલાઈ દરમિયાન ગ્રેટર નોઈડાના જેતપુરમાં કરવામાં આવ્યું હતું. અગાઉ, ગ્રેટર નોઈડાના વૈષ્ણો મંદિરથી સિટી પાર્કના પંડાલ સુધી કળશ યાત્રા કાઢવામાં આવી હતી.

જો તમે નીચેની તુલનાત્મક તસવીરો જોશો, તો તમને ખ્યાલ આવશે કે વાયરલ વીડિયો અને ગ્રેટર નોઈડામાં કળશ યાત્રા એક જ છે.

અક્ષત કળશ યાત્રા

શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે લોકોને આમંત્રિત કરવા માટે વિશેષ અક્ષત કળશ યાત્રા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં લોકોને અક્ષત, શ્રી રામ મંદિરની તસવીરો અને પેમ્ફલેટ આપવામાં આવી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો હૈદરાબાદનો નથી. આ કળશ યાત્રા 6 મહિના પહેલા ગ્રેટર નોઈડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કથા વાંચન દરમિયાન કાઢવામાં આવી હતી. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર આ કળશ યાત્રાનો વીડિયો હૈદરાબાદનો છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Misleading