પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ કરેલો છે. મહાત્મા ગાંધી બાબા સાહેબને પગે લાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. બાબા સાહેબના ફોટોમાં ગાંધીજીના ફોટોને મુકી એડિટ કરવામાં આવ્યો હતો.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બાબા સાહેબ આંબેડકરની સામે મહાત્મા ગાંધીને નમન કરેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહાત્મા ગાંધી ડોબાબાસાહેબ આંબેડકર ને પગે લાગ્યા તેનો ફોટો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહાત્મા ગાંધી ડોબાબાસાહેબ આંબેડકર ને પગે લાગ્યા તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલને આગળ વધારી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અલામી.કોમ દ્વારા બાબા સાહેબની આ ઓરિજનલ ફોટો શેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ડો.બાબા સાહેબ આંબેડકર તેમની પત્ની ડો. સવિતા આંબેડકર તેમજ સેવક સુદામા અને તેમના પાળીતા કુતરા સાથે જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

ALAMY.COM | ARCHIVE

તેમજ મહાત્મા ગાંધીનો દાંડી કૂચનો ફોટો લઈ બાબા સાહેબના ફોટો સાથે જોડી એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ 1930નો મહાત્મા ગાંધીના ફોટોને આ ફોટા સાથે એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધીનો ઓરિજલ ફોટો તમે નીચે જોઈ શકો છો. જે તમે નીચે જોઈ શકો છો.

ALAMY.COM | ARCHIVE

તેમજ ઓરિજનલ ઈમેજ અને એડિટ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ છે અને તેની સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ કરેલો છે. મહાત્મા ગાંધી બાબા સાહેબને પગે લાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. બાબા સાહેબના ફોટોમાં ગાંધીજીના ફોટોને મુકી એડિટ કરવામાં આવ્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર મહાત્મા ગાંધી ડો બાબાસાહેબ આંબેડકરને નમન કરી રહ્યા છે...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Altered