તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, સંશાધન પર પ્રથમ અધિકાર લઘુમતીઓનો છે. આદિવાસી અને દલિતનો નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં અમિત શાહ કોંગ્રેસ શાસનમાં વડાપ્રધાન રહેલા મનમોહનસિંહ જે બોલ્યા હતા તેની નિંદા અને ભાજપ પાર્ટીના વખાણ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બીજેપીના અમિત શાહ શું કહે છે ? આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, સંશાધન પર પ્રથમ અધિકાર લઘુમતીઓનો છે. આદિવાસી અને દલિતનો નથી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમિત શાહના સત્તાવાર યુટ્યુબ પર 22 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો છત્તીસગઢના કાંકેર ખાતે અમિત શાહે પબ્લિક રેલીને સંબોધિત કરી તેનો છે.

ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં તમે 15.53 મિનિટ થી 16.46 મિનિટ સુધીમાં વાયરલ ક્લિપના ભાગો જોઈ શકો છો. આ સમયે અમિત શાહ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતાં એવું કહી રહ્યા છે કે, कांग्रेस के प्रधानमंत्री मनमोहन सिंह ने कहा था कि देश के संसाधन पर पहला अधिकार अल्पसंख्यकों का है, देशभर के सभी मठ-मंदिरों के पैसों पर सदैव कांग्रेस पार्टी की नजर रही। भारतीय जनता पार्टी का मानना है कि देश के संसाधन पर सबसे पहला अधिकार देश के गरीब, आदिवासी, दलित और पिछड़ा समाज का है।

આજ માહિતી સાથેના સમાચાર અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | indianexpress.com

અમારી વધુ તપાસમાં અમને ભાજપની સત્તાવાર પ્રેસ રિલીઝમાં અમિત શાહ દ્વારા કાંકેર ખાતે કરવામાં આવેલું આજ ભાષણ પ્રાપ્ત થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

નીચે તમે અમિત શાહના નિવેદનના વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં અમિત શાહ કોંગ્રેસ શાસનમાં વડાપ્રધાન રહેલા મનમોહનસિંહ જે બોલ્યા હતા તેની નિંદા અને ભાજપ પાર્ટીના વખાણ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False