
તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ કેટલાક લોકો જાન લઈને જઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડું અને વરસાદ હોવા છતાં લોકો જાન લઈને જઈ રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 માં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે બનેલી એક જૂની ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભયંકર વાવાઝોડા માં પણ આ ભાઈ નવું વાવાઝોડું લેવા નીકળી પડ્યા છે….. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડું અને વરસાદ હોવા છતાં લોકો જાન લઈને જઈ રહ્યા છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Quint Hindi દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 6 જુલાઈ, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે આવેલી ક્લાર્ક કોલોનીમાં રહેતા અમન જૈન નામના એક સોફ્ટવેર એન્જિનિયરના લગ્ન સમયે ભારે વરસાદ વચ્ચે પણ લોકોએ વરઘોડું નીકાળ્યું હતું અને ડાન્સ કર્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા પણ એખ વર્ષ પહેલાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અમને અન્ય કેટલીક જગ્યાએ પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. abplive.com | hindi.news18.com | MP Tak
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 માં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે બનેલી એક જૂની ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વરસાદમાં પણ જાન લઈને જઈ રહેલા જાનૈયાઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Misleading
