
જીગો અમદાવાદી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બોલો લ્યો ભક્તો ક્યાં ગયા ? આવા ધંધા કરો સો હે.. ગૌ તસ્કર બધા ભાજપ વાળા જ કેમ નીકળે સે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 109 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 54 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં જામનગરમાં ભાજપાના નેતા ગૌવંશની તસ્કરી કરતા પકડાયા છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપના નેતા ઝડપાયા” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ ન્યુઝપેપરનું કટિંગ હાલનું નથી. આ ઘટના વર્ષ 2018માં બની હતી. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.



છતા પણ અમે અમારી પડતાલને મજબૂત કરવા જામનગર જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યું હતુ કે, “આ પ્રકારે હાલમાં કોઈ ગૌવંશની તસ્કરી નથી પકડાઈ, ઓગસ્ટ 2018માં આ પ્રકારે ગૌવંશની તસ્કરી પકડાઈ હતી. જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની ઘટના આજની નહીં પરંતુ એક વર્ષ પહેલાની છે. હાલમાં આ પ્રકારે કોઈ ગૌવંશની તસ્કરી પકડાઈ નથી.

Title:શું ખરેખર હાલમાં ભાજપાનો નેતા ગૌવંશની તસ્કરી કરતા પકડાયો….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
