
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું પોસ્ટર ફાડી રહેલી બકરીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બકરીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું પોસ્ટર ફાડી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું જે પોસ્ટર મૂકવામાં આવ્યું છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હાલો ત્યારે બકરા તો સમજી ગયા પણ ધેટાવ હજી નહી સમજે એમને હજી થોડીક વાર લાગશે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બકરીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું પોસ્ટર ફાડી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને flickr.com પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો 7 સપ્ટેમ્બર, 2011 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ ફોટોમાં અમને ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા નહતા. વધુમાં આ ફોટો તમિલનાડુનો હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. આ ફોટોમાં જે ભાષા દેખાઈ રહી છે એ પણ તમિલ જ છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે એડિટ કરેલો છે.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું જે પોસ્ટર મૂકવામાં આવ્યું છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર બકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું પોસ્ટર ફાડી નાખ્યું?
Fact Check By: Vikas VyasResult: False
