
સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જાણીતા અર્થશાસ્ત્રી મેઘનાથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અર્થ શાસ્ત્રી મેઘનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, મોદીથી મોટાભાગના લોકો નિરાશ છે ફરી બહુમત નહીં મળે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અર્થ શાસ્ત્રી મેઘનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, મોદીથી મોટાભાગના લોકો નિરાશ છે ફરી બહુમત નહીં મળે.”

Facebook | Fb post Archive | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કર્યુ કે અર્થશાસ્ત્રી મેઘનાથ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન હાલમાં આપવામાં આવ્યુ છે કે કેમ, પરંતુ અમને મેઘનાથ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન હાલમાં આપ્યુ હોય તેવું જાણવા મળ્યુ ન હતુ.
ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને આ જ ન્યુઝ પેપરનું ક્ટિંગ ફેસબુક પર 28 ડિસેમ્બર 2018ના અપલોડ કરવામાં આવેલુ જોવા મળ્યુ હતુ. જેના પરથી સ્પષ્ટ છે કે, આ નિવેદન હાલમાં તો નથી જ આપવામાં આવ્યુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ફર્સ્ટ પોસ્ટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 21 ડિસેમ્બર 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ આ જ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે પણ તમે નીચે જોઈ શકો છો.

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ 21 ડિસેમ્બર 2018ના આ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ નિવેદન અર્થશાસ્ત્રી મેઘનાથ દ્વારા હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં આપવામાં આવ્યુ હતુ. જેને હાલની લોકસભા 2024ની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:અર્થશાસ્ત્રી મેઘનાથનું 6 વર્ષ પહેલાનું નિવેદન હાલ થઈ રહ્યુ છે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
