Fake News: શું ખરેખર શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…

રાજકીય I Political રાષ્ટ્રીય I National

શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે કોઈ દાન કરવામાં આવ્યુ નથી. આ તદ્દન ખોટી વાત છે. જેની પૃષ્ટી ટ્રસ્ટના સીઈઓ અને પીઆરઓ દ્વારા કરવામાં આવી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિરડી સાંઈ ટ્રસ્ટના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પ્રહાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને મીડિયા અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સાંઈ મંદિરના ટ્રસ્ટના સીઈઓએ કહ્યું કે તેઓએ હજ માટે કોઈ રકમ દાન કરી નથી જેવો દાવો સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહ્યો છે.” 

Archive

તેમજ સીઈઓ રાહુલ જાધવ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “તેમની પાસે ફંડની જોગવાઈ માટે આવી કોઈ જોગવાઈ નથી. જાદવે કહ્યું કે વાયરલ મેસેજ એ શિરડી મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર છે અને તેઓ ટૂંક સમયમાં અફવા ફેલાવનારાઓ સામે પગલાં લેશે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે શિરડી સાંઈ ટ્રસ્ટના પીઆરઓનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ દાન શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ નથી, આ ટ્રસ્ટના નામે ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રકારે દાન આપવાની કોઈ જોગવાઈ જ નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે કોઈ દાન કરવામાં આવ્યુ નથી. આ તદ્દન ખોટી વાત છે. જેની પૃષ્ટી ટ્રસ્ટના સીઈઓ અને પીઆરઓ દ્વારા કરવામાં આવી છે. 
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False