શું ઈદ પર ઉત્તમ નગરમાં હિન્દુઓએ AAP નેતા સૌરભ ભારદ્વાજને કાઢી મુક્યો હતો…? જાણો શું છે સત્ય..

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સૌરભ ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફૂટેજમાં તેઓ ભીડ વચ્ચે ઉભા રહેલા જોવા મળે છે. આ મુલાકાત દરમિયાન, તેમની અનેક વ્યક્તિઓ સાથે ઝઘડો થાય છે. આ વીડિયોમાં AAP નેતા અને ભીડના સભ્યો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “AAP નેતા દિલ્હીના ઉત્તમ નગરમાં રહેવાસીઓને ઈદની ઉજવણી કરવા માટે ગયા હતા, દરમિયાન હિન્દુઓના ગુસ્સે ભરાયેલા જૂથે તેમને ભગાડી દીધા.” 

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

વીડિયોના કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કર્યા પછી, અમને તે 19 માર્ચે સમાચાર એજન્સી IANS દ્વારા શેર કરાયેલ ટ્વિટર પોસ્ટ મળ્યા. આનાથી તરત જ સ્પષ્ટ થયું કે આ વીડિયો ઈદના પ્રસંગ સાથે સંબંધિત નથી.

IANS પોસ્ટ અનુસાર, આ વીડિયો દિલ્હીના પાલમ વિસ્તારનો છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની આ વિસ્તારની મુલાકાત પહેલા ભાજપ અને AAPના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ ઘટના અંગે અનેક સમાચાર અહેવાલો ઉપલબ્ધ છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, પાલમ અગ્નિકાંડ માટે આયોજિત શોક સભા દરમિયાન AAP અને BJP કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે હાઇડ્રોલિક મશીન ખરાબ થઈ ગયું હતું અને વહીવટ અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. આ પછી, બંને જૂથો એકબીજા સાથે અથડાયા હતા.

18 માર્ચે દિલ્હીના પાલમ મેટ્રો સ્ટેશન નજીક ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઇમારત સ્થાનિક બજાર સંગઠનના પ્રમુખ રાજેન્દ્ર કશ્યપની હતી.

તરૂણના મૃત્યુ બાદ, સૌરભ ભારદ્વાજે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવવા માટે મુલાકાત લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસે તેમને તરુણના પરિવારને મળવાથી રોક્યા હતા, જ્યારે લગભગ 20 ભાજપ કાર્યકરોને મળવા દીધા હતા.

દરમિયાન, 21 માર્ચે, ઉત્તમ નગરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. પોલીસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, મુસ્લિમ સમુદાયના સભ્યોએ તેમના પર ફૂલો વરસા

વ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ઉત્તમ નગરનો નથી, પરંતુ પાલમનો છે, જ્યાં આગ દુર્ઘટના માટે આયોજિત શોક સભા દરમિયાન ભાજપ અને AAP નેતાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

Result Stamp

Title: શું ઈદ પર ઉત્તમ નગરમાં હિન્દુઓએ AAP નેતા સૌરભ ભારદ્વાજને કાઢી મુક્યો હતો…? જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *