વાયરલ ફોટોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન નહીં પરંતુ શાકાહારી સાવજી ભોજન ખાઈ રહ્યા છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

રામનવમીના દિવસે મુખ્યપ્રધાન એકનાથ શિંદે લંચ કરતા હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે રામ નવમી પર મટન ખાતા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે રામ નવમી પર મટન ખાતા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સોશિયલ મીડિયા ચેનલ કર્લી ટેલ્સ પર ઇન્ટરવ્યુ લેનાર કામિયા જાનીએ 18 એપ્રિલે એકનાથ શિંદે સાથે ભોજનનો વીડિયો અપલોડ કર્યો હતો.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “રામનવમીના શુભ દિવસે, મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાથે વેજ સાવજી ભોજનનો આનંદ માણ્યો.”
અહીં વિડીયોમાં એકનાથ શિંદે પોતે જે ખોરાક ખાય છે તેનું વર્ણન કરે છે અને કહે છે કે તે રીંગણની ભારી, ભાજી અને પટોડી ખાય છે.
તેમજ કર્લી ટેલ્સે તેમની વેબસાઈટ પર આ ઈન્ટરવ્યુનું વર્ણન કર્યું છે કે રામ નવમી પર એકનાથ શિંદે અને મેં (કામિયા જાની) મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ઉમરેડ ગામમાં સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ શાકાહારી સવજી મિજબાની માણી હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન નહીં પરંતુ શાકાહારી સાવજી ભોજન ખાઈ રહ્યા છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું રામનવમી પર મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન ખાધું…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
