સતવારા સમાજના મોભી અને જામનગર ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2022માં રાજીનામું આપવામાં આવ્યુ હતુ જ્યારે હાલમાં તેઓ ભાજપામાં ફરી જોડાયા ગયા છે. હાલમાં તેમણે રાજીનામું નથી આપ્યુ.

જામનગરના ભાજપાના નેતા અને સતાવારા સમાજના મોભી એવા ભાનુભાઈ ચૌહાણને લઈ સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા ભાજપાના ઉપ પ્રમુખ પદેથી હાલમાં રાજીનામું આપવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરના ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા ભાજપાના ઉપ પ્રમુખ પદેથી હાલમાં રાજીનામું આપવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ સમાચાર એબીપી અસ્મિતા દ્વારા 23 નવેમ્બર 2022ના પ્રસારિત કરેલા પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સતવારા સમાજની અવગણા થતાં જામનગર ભાજપના ઉપપ્રમુખ પદેથી ભનુભાઈ ચૌહાણે આપ્યું રાજીનામું.” આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને જામનગરના સ્થાનિક મીડિયા જામનગર ન્યુઝ દ્વારા 16 એપ્રિલ 2024ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સતવારા સમાજના 300 અગ્રણીઓને સાથે રાખીને ભાજપમાં જોડાતાં સતવારા સમાજના મોભી ભનુભાઈ ચૌહાણ.”
તેમજ દિવ્યભાસ્કર દ્વારા પણ આ જ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જામનગર સતવારા સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભનુભાઈ ચૌહાણ અને તાલુકા પૂર્વ મહામંત્રી નેતા સહિત 150થી વધુ અગ્રણીઓ ભાજપામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ લોકોએ 2022ની વિધાનસભાની ચૂંટણીણાં પક્ષની નારાજ થઇ રાજીનામુ આપ્યું હતું.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સતવારા સમાજના મોભી અને જામનગર ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2022માં રાજીનામું આપવામાં આવ્યુ હતુ જ્યારે હાલમાં તેઓ ભાજપામાં ફરી જોડાયા ગયા છે. હાલમાં તેમણે રાજીનામું નથી આપ્યુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ભાનુભાઈ ચૌહાણ દ્વારા હાલમાં ભાજપામાંથી રાજીનામું આપવામા આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
