
રશિયન આક્રમણના પ્રકાશમાં, યુક્રેન દેશ યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયો છે. રશિયાના હવાઈ હુમલાને કારણે યુક્રેનનું આકાશ પણ બંધ થઈ ગયું છે. આમ, આ વિસ્તાર નો-ફ્લાય ઝોનમાં ફેરવાઈ ગયો હતો. જોકે એક એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “એર ઈન્ડિયા એકમાત્ર એરલાઈન છે જેને નો-ફ્લાય ઝોનમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, યુક્રેન ઉપર નો ફ્લાય ઝોનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડતી દર્શાવતા ગ્રાફિક્સ એડિટેડ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેન ઉપરથી ઉડતી ન હતી પરંતુ બર્મિંગહામ માટે વૈકલ્પિક માર્ગ અપનાવતી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mehulsinh Rana-vana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એર ઈન્ડિયા એકમાત્ર એરલાઈન છે જેને નો-ફ્લાય ઝોનમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”

FACT CHECK
અમે યુનાઇટેડ કિંગડમમાં અમૃતસરથી બર્મિંગહામ સુધીની AI117 ફ્લાઇટના રેકોર્ડ્સ પ્લેન ફાઇન્ડર સહિત વિવિધ ફ્લાઇટ ટ્રેકિંગ અને એર ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ પર તપાસ્યા. અમને 25મી ફેબ્રુઆરી 2022ના રોજ અમૃતસરથી બર્મિંગહામ સુધીની AI117 ફ્લાઇટનો રેકોર્ડ મળ્યો હતો. જો કે, વેબસાઇટ પર બતાવેલ ફ્લાઇટ દ્વારા લેવાયેલ રૂટ વાયરલ ફોટોમાં બતાવેલ રૂટ સાથે મેળ ખાતો નથી.

તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો તેમ, પ્લેનફાઈન્ડર વેબસાઈટ પરના રેકોર્ડ દર્શાવે છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI117 જે 25મી ફેબ્રુઆરીએ અમૃતસરથી બર્મિંગહામ માટે ઉડાન ભરી હતી અને તેણે વૈકલ્પિક માર્ગ અપનાવ્યો હતો અને યુક્રેનની ઉપરથી ઉડાન ભરી ન હતી. વધુ સ્પષ્ટતા માટે અમે રૂટને બ્લુ રંગમાં હાઇલાઇટ કર્યો છે. આ જ માહિતીને અન્ય સમાન વેબસાઇટ Flightradar24 દ્વારા સમર્થન છે. બર્મિંગહામથી તાજીકિસ્તાન, કિર્ગિઝસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, બાલ્ટિક સમુદ્ર, ડેનમાર્ક અને ઉત્તર સમુદ્ર ઉપરથી ગ્રેટ બ્રિટન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટનો રૂટ લેવામાં આવેલ દર્શાવતી વેબસાઈટનો સ્ક્રીનશોટ તમે નીચે જોઈ શકો છો. તે યુક્રેનમાં નો ફ્લાય ઝોનમાં પ્રવેશ્યું ન હતું.

આમ, તે સ્પષ્ટ છે કે ફ્લાઇટ AI 117 25મી ફેબ્રુઆરીએ યુક્રેનની ઉપરથી ઉડી ન હતી. એર ઈન્ડિયા એકમાત્ર એરલાઈન હતી જેને યુક્રેનના આકાશમાં ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી તે વાત પણ ખોટી છે. હકીકતમાં, યુક્રેન ઉપર નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવતા ભારતીય એરક્રાફ્ટને ભારત પરત ફરવું પડ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધવા લાગ્યો હતો ત્યારે MEA એ 18મી ફેબ્રુઆરીએ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે યુક્રેનની ત્રણ ફ્લાઈટ્સની જાહેરાત કરી હતી. ફ્લાઇટ 22, 23 અને 24 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી હતી. પ્રથમ ફ્લાઈટ મંગળવારે 240 મુસાફરોને પરત લાવવામાં સફળ રહી હતી. જો કે યુક્રેને તેની એરસ્પેસ બંધ કરી દેતાં બીજી ફ્લાઈટને ભારત પરત ફરવું પડ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યુક્રેન ઉપર નો ફ્લાય ઝોનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડતી દર્શાવતા ગ્રાફિક્સ એડિટેડ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેન ઉપરથી ઉડતી ન હતી પરંતુ બર્મિંગહામ માટે વૈકલ્પિક માર્ગ અપનાવતી હતી.

Title:Russia-Ukraine War | શું ખરેખર એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેનમાં નો ફ્લાય ઝોન પર ઉડી હતી.? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
