શું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ….? જાણો શું છે સત્ય………

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ જૂદા-જૂદા સોશિયલ મિડિયાના માધ્યમથી ખૂબ જ વાયરલ થઈ રહી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

https://twitter.com/EvmAnti/status/1159482235902259201?s=20

ARCHIVE

આમ, ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર ‘चीनने मानसरोवर यात्रा के लिए वीजा किया बंद’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ભારતમાં આવેલી ચીન એમ્બેસી દ્વારા વિઝા બંધ કરવામાં આવ્યા હોવાની વાત ફેલી હતી. પરંતુ તે વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, જે તમે નીચે જોઈ શકો છો.

INDIA TV | ARCHIVE

LOKMAT NEWS | ARCHIVE

PUNJAB KESRI | ARCHIVE

આ ઉપરાંત અમને ANI દ્વારા 7 ઓગસ્ટ 2019ના કરવામાં આવેલુ ટ્વીટ પણ મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભારતમાં આવેલી ચીન એમ્બેન્સી દ્વારા ભારતીયોને વિઝા આપવામાં આવ્યા. જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ચીન દ્વારા માનસરોવર માટે વિઝા આપવાના બંધ કરવામાં આવ્યા હોવાની વાત ખોટી સાબિત થાય છે. ચીન દ્વારા ભારતીયોને માનસરોવર માટે વિઝા આપવામાં આવી જ રહ્યા છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વાત ખોટી છે. ચીન દ્વારા માનસરોવર માટે વિઝા આપવાના બંધ કરવામાં આવ્યા હોવાની વાત ખોટી સાબિત થાય છે. ચીન દ્વારા ભારતીયોને માનસરોવર માટે વિઝા આપવામાં આવી જ રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ….? જાણો શું છે સત્ય………

Fact Check By: Yogesh Karia 

Result: False