જાણો શાહજહાંની બેગમ મુમતાજ મહલના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર રાજાશાહી પરિવેશમાં ઉભેલી મહિલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જેણે તાજમહેલ બંધાવ્યો હતો એ રાજા શાહજહાંની બેગમ મુમતાજ મહલનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાજાશાહી પરિવેશમાં ઉભેલી મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ શાહજહાંની બેગમ મુમતાજ મહલનો નહીં પરંતુ ભોપાલની શાસક શાહજહાં બેગમનો છે. આ ફોટોને તાજમહેલ કે શાહજહાં સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખરી ખૂબસુરતી છે હો પણ ..🫣🤣આ એજ મહોતરમા છે, જેના માટે તાજમહેલ બનાવવામાં આવ્યો હતો.. 🤣🤣🤣🤣😍. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જેણે તાજમહેલ બંધાવ્યો હતો એ રાજા શાહજહાંની બેગમ મુમતાજ મહલનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને Royal Collection Trust નામની એક વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો ભોપાલની બેગમ સુલતાન શાહજહાંનો ફોટો છે.


અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને સરકારની ભારતીય સંસ્કૃતિની વેબસાઇટ પ્રાપ્ત થઈ હતી. જ્યાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો વિશે આપવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ માહિતી અનુસાર, શાહજહાં બેગમનો જન્મ 29 જુલાઈ, 1838ના રોજ થયો હતો. 11 એપ્રિલ, 1845ના રોજ, બ્રિટિશ સરકારે સત્તાવાર રીતે શાહજહાં બેગમના ઉત્તરાધિકારને સ્વીકારી અને સમર્થન આપ્યું અને તેમને રાજ્યના નેતા તરીકે જાહેર કર્યા. વધુમાં, શાહજહાં બેગમના શાસન દરમિયાન શાસનની દેખરેખ રાખવા માટે તેની માતા સિકંદર બેગમને કારભારી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. નવેમ્બર 1861માં, બેગમને અલ્હાબાદ ખાતે ભારતના સ્ટારનો સર્વોચ્ચ ઓર્ડર આપવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશના ગવર્નરની વેબસાઈટ અનુસાર, શાહજહાં બેગમ બે ટર્મ સુધી શાસક રહી હતી. તેણીનો જન્મ ભોપાલ નજીક ઇસ્લામનગરમાં થયો હતો. 6 વર્ષની ઉંમરે, તેણીને ભોપાલના શાસકનો દરજ્જો આપવામાં આવ્યો. 1855 માં તેણીએ વકી મુહમ્મદ ખાન સાથે લગ્ન કર્યા. તેની માતાના મૃત્યુ પછી તેણીની 1868 માં બીજી વખત શાસક બની. તેણીનું શાસન 1901 સુધી ચાલ્યું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાજાશાહી પરિવેશમાં ઉભેલી મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ શાહજહાંની બેગમ મુમતાજ મહલનો નહીં પરંતુ ભોપાલની શાસક શાહજહાં બેગમનો છે. આ ફોટોને તાજમહેલ કે શાહજહાં સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો શાહજહાંની બેગમ મુમતાજ મહલના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False